ઝઘડિયા તાલુકાના ઉમલ્લા બજારમાંથી રેતીના ભારે વાહનો ના કારણે સર્જાતા ટ્રાફિકને લઈ દુકાનદારો સહિત મહિલાઓ રોષે ભરાયા.

Share to




ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઇન્દોર પાણેથા તેમજ વેલુગામ તરફથી નર્મદા નદીમાંથી મોટા પ્રમાણમાં રેતીની લીઝો આવેલ છે અને તેમાંથી મોટા પાયે ખનન થઈ રહ્યું છે અને જે રેતી વાહન મારફતે ઉમલ્લાના મેઈન બજારમાંથી પસાર થાય છે જેને લઇ ઉમલ્લા બજારના વેપાર ધંધા ભાગી પડ્યા છે જેના કારણે લોકો અને વેપારીઓ સહીત મહિલાઓ રોષે ભરાયા હતા અને તમામ રેતી ના આવતા જતા વાહનો મેઈન બજાર માં રોકી વિરોધ કર્યો હતો.

રેતી ભરેલા હાયવા ટ્રક ઓવરલોડ વાહનોને લઈ ઉમલ્લા મેઇન બજારમાં અવાર નવાર બઝાર ની મધ્ય માંજ બંધ થઈ જતા ટ્રાફિક સર્જાતો રહે છે જેને લઇ વેપારીઓને અને આમ જનતા ને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે રહ્યા રેતી ના વાહનોને લઈ ઘણી વખત અકસ્માતો પણ સર્જાય છે અને કેટલાક અકસ્માતો જીવલેણ પણ સાબિત થયા છે તો હવે જોવું રહ્યું કે ઉમલ્લાના વેપારીઓના વિરોધ પછી વહીવટી તંત્ર આવા ગેરકાયદેસર ચાલતા વાહનો ઉપર શું પગલાં ભરે છે…


Share to