ઝઘડિયા તાલુકાના કેશરવા પ્રાથમિક શાળાના શિક્ષકનો વિદાય સમારંભ યોજાયો

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા DNSNEWS

શિક્ષકને વિદાયમાન આપતા બાળકો પણ ભાવવિભોર બન્યા..

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના કેશરવા ગામે પ્રાથમિક શાળાના નિવૃત્ત થતા શિક્ષકનો વિદાય સહ સન્માન સમારોહ યોજાયો હતો. મળતી વિગતો મુજબ કેશરવા પ્રાથમિક શાળામાં છેલ્લા ૧૪ વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવનાર પ્રકાશકુમાર જયંતીલાલ પ્રજાપતિ વય મર્યાદાને લઇને નિવૃત થતા તેમને વિદાય આપવાનો કાર્યક્રમ શાળામાં યોજાયો હતો. આયોજિત કાર્યક્રમમાં શાળાના શિક્ષકો,ગામ અગ્રણીઓ,વિધ્યાર્થીઓ તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં અગ્રણીઓએ નિવૃત થતા શિક્ષકે તેમના ફરજ સમય દરમિયાન આપેલ શૈક્ષણિક સેવાઓને બિરદાવી હતી.

આ પ્રસંગે નિવૃત્ત થતા શિક્ષક પ્રકાશકુમાર પ્રજાપતિએ શાળા સાથેના તેમના ૧૪ વર્ષના સંભારણા યાદ કર્યા હતા તેમજ શાળાના સહ શિક્ષકો અને બાળકોએ તેમને આપેલ સહકારને યાદ કરીને સહુ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી તેમજ તેમના નિવૃત્તિ સમયે તેમને બહુમાન આપવા સમારોહનું આયોજન કરવા બદલ પણ આયોજકોનો આભાર માન્યો હતો. આ પ્રસંગે તેમણે બાળકોને અનુરોધ કર્યો હતો કે તેઓ ઉચ્ચ શિક્ષણ મેળવવા કટિબધ્ધ બને અને ભવિષ્યમાં એક શિક્ષિત ભારતીય નાગરીક તરીકે રાષ્ટ્રના સાર્વત્રિક વિકાસ માટે પોતાનું યથાયોગ્ય યોગદાન આપવા આગળ આવે તેવી અપીલ કરી હતી. આ પ્રસંગે શાળાના શિક્ષકને વિદાયમાન આપતા બાળકો પણ ભાવવિભોર બન્યા હતા. કાર્યક્રમને અંતે આયોજકોએ કાર્યક્રમને સફળ બનાવવા બદલ ઉપસ્થિત સહુનો આભાર માન્યો હતો.


Share to