Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
જયગુરૂદેવ આશ્રમ મથુરાના રાષ્ટ્રીય ઉપદેશક શ્રી સતિષચંદ્ર સાહેબ  આજે  પઠાર ખાતે આધ્યાત્મિક સંત્સગ કરશે.
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….

ઝઘડિયા તાલુકાના ફુલવાડી ગામે ક્રિકેટ ગ્રાઉન્ડ પર ક્રિકેટ રમવાના મુદ્દે બે જુથો વચ્ચે ઝઘડો બન્ને પક્ષે સામસામે ફરિયાદ-કુલ મળી મહિલાઓ સહિત ૨૭ સામે ગુનો નોંધાયો-ઇજાગ્રસ્તોને ભરૂચ તેમજ અંકલેશ્વર સારવાર માટે લઇ જવાયા..

Share to

ઝઘડિયા જીઆઇડીસી સ્થિત ડીસીએમ કંપની તરફથી ક્રિકેટ મેચનું થયું હતું આયોજન…

DNSNEWS 25-12-23

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ફુલવાડી ગામે ક્રિકેટ મેદાન પર ક્રિકેટ રમવાના મુદ્દે પટેલ સમાજના અને વસાવા સમાજના બે જુથો વચ્ચે ઝઘડો થતાં વાત મારામારી સુધી પહોંચતા ઇજાગ્રસ્તોને સારવાર માટે ભરૂચ તેમજ અંકલેશ્વર લઇ જવાયા હતા. આ બાબતે બન્ને પક્ષોએ ઝઘડિયા પોલીસ મથકમાં લખાવેલ સામસામે ફરિયાદોમાં મહિલાઓ સહિત કુલ ૨૭ ઇસમો સામે ગુનો નોંધાયો હતો. આ અંગે ફુલવાડીના ભદ્રેશ પ્રભુભાઇ પટેલે લખાવેલ ફરિયાદ મુજબ ફુલવાડી ગામે ઝઘડિયા જીઆઇડીસીની ડીસીએમ કંપની તરફથી ક્રિકેટ મેચ યોજાતા તેમનો દિકરો મેચ રમવા ગયો હતો. ત્યારે ભદ્રેશભાઇ સવારના સાડા નવ વાગ્યાના અરસામાં મેચ જોવા ગયા હતા,

તે દરમિયાન ગામના રાકેશભાઇ અરવિંદભાઇ વસાવા તેમજ બીજા કેટલાક છોકરાઓ ત્યાં આવ્યા હતા અને અમારે મેચ રમવી છે, અમારા ગામનું મેદાન છે અમને રમવા દો, તેમ કહેતા બોલાચાલી થયા બાદ ઝઘડો થયો હતો. આ ઝઘડા દરમિયાન ભદ્રેશભાઇ તેમજ અન્ય છોકરાઓને ઇજાઓ થતાં સારવારની જરુરવાળાને અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા. ઝઘડિયા પોલીસે ભદ્રેશભાઇ પટેલની ફરિયાદ મુજબ સામા પક્ષના મહિલાઓ સહિત કુલ ૧૪ સામે ગુનો નોંધ્યો હતો. જ્યારે સામા પક્ષે ફુલવાડીના રાહુલ બચુભાઇ વસાવાએ લખાવેલ ફરિયાદ મુજબ તેઓ ગામના અન્ય છોકરાઓ સાથે ગામના ક્રિકેટ મેદાન પર ક્રિકેટ રમવા ગયા હતા, ત્યારે તે સમયે જીઆઇડીસીની ડીસીએમ કંપનીની બે ટીમો વચ્ચેની મેચ પુરી થયેલ હતી. તેથી આ લોકોએ અમારે રમવું છે એમ કહેતા ગામના ઉપસરપંચ સંદિપ પટેલે જણાવેલ કે તમને મેચ રમાડવાના નથી. અમે ડીસીએમ કંપની સાથે મેચ રમવાના છીએ. આમ ફરિયાદમાં જીઆઇડીસીની ડીસીએમ કંપનીનો ઉલ્લેખ જોવા મળતા આ બાબતમાં ડીસીએમ કંપનીની શું ભુમિકા હશે એ બાબતે પણ સવાલો ઉભા થયા છે.

આ દરમિયાન બોલાચાલી બાદ થયેલ ઝઘડામાં સામા પક્ષ દ્વારા તેમના પક્ષના કેટલાક ઇસમોને ઇજાઓ પહોંચાડાતા ઇજાગ્રસ્તોને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા. રાહુલ વસાવાની ફરિયાદ મુજબ ઝઘડિયા પોલીસે ગામના ઉપસરપંચ સંદિપ પટેલ સહિત કુલ ૧૩ ઇસમો સામે ગુનો દાખલ કર્યો હતો. પોલીસે આ બાબતે રાહુલ વસાવાની ફરિયાદને લઇને અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ પ્રતિબંધ અધિનિયમ મુજબ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

#DNSNEWS REPORT


Share to
Satish vasava from jhagadiya work at durdrshinews PVT LTD, bureau chief BHARUCH district...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top