September 7, 2024

દેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા ભરૂચ લોકસભા સાંસદ મનસુખ વસાવા ને જાહેર માં ચર્ચા ની માંગ સાથે નો પત્ર.

Share to

વિવાદ છે કે હવે થમવાનું નામ નથી લેતો..AAP અને BJP માં આરોપ પ્રત્યાંઆરોપ…


નર્મદા જિલ્લા ના ડેડીયાપાડા તાલુકાના અને આમ આદમી પાર્ટી ના નેતા ધારાસભ્ય ના પત્ર મુજબ પ્રેસ મીડિયા ને સંબોધી ને નર્મદા જિલ્લાના ભાજપ, કોંગ્રેસ, અને આપ પાર્ટી ના આગેવાનો કોન્ટ્રકટરો અને અધિકારીઓ પાસે નિયમિત હપ્તા ઉઘરાવતા હોવાના અને ગદાર હોવાના ગંભીર આરોપો લગાવેલ છે.આ નેતાઓમાં નામ જોગ..મોતીભાઈ વસાવા(માજી ધારાસભ્ય),, શંકરભાઈ વસાવા, નર્મદા જિલ્લા પંચાયત માજી પ્રમુખ.. પર્યશાબેન વસાવા, નર્મદા જિલ્લા પંચાયત ના હાલ ના પ્રમુખ,..નાંદોદ નાં ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ, તથા નાનાભાઈ રવિ દેશમુખ, તથા કોર્પોરેટર વીરભાઈ દરબાર તથા પાર્ટી ના નેતાઓ પર હપ્તાઓ ઉઘરાવવાના અને ગદાર હોવાના આરોપો આપે લગાવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે..અમારા પરિવાર,સગા સબંધીઓ, સમર્થકો અને જાહેર જનતા આ બાબતે ખુલાસો માંગી રહ્યા છે. આપે જેટલા આગેવાનો પર નામ જોંગ આરોપો લગાવેલ છે એ તમામ બંધારણીય હોદ્દા પર લોક પ્રતિનિધિઓ અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે. જેથી આ બાબત નો રૂબરૂ પુરાવા સાથે નો ખુલાશો અનિવાર્ય બની રહે છે.જેથી આપ શ્રી આ પત્ર મળ્યે પછી દિન ૩ મા નર્મદા જિલ્લાના કોઈ પણ સ્થળે આપ ની અધ્યક્ષતા માં અમને પ્રેસ મીડિયા અને જાહેર જનતા ને બોલાવી આ ભ્રષ્ટાચાર અને ગદાર અંગે ની ખુલ્લી ચર્ચાઓ રાખી ઉજાગર કરો એવી અમારી માંગણી છે. જો આપ આમ કરવામાં નિષ્ફળ જશો તી, દિન ૭ પછી અમને તમામ ને રાજકીય રીતે વેતરી નાખવામાં અને છબી ખરડાવવા બદલ આપ પર કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવે તેમ જાણવામાં આવ્યું હતું..

ત્તયારે આદિવાસી નેતા ઓ હવે એકબીજા ઉપર આરોપો પ્રત્યંરોપ લગાવતા ધારાસભ્ય એ લખેલ પત્ર બાબતે હવે જોવું રહ્યું સાંસદ આ પત્ર બાબત માં પોતાની શું પ્રતિક્રિયા આપે છે અને જાહેર માં ચર્ચા માં આવે છે કે નહિ!!

રિપોર્ટર /- વિશાલ પટેલ, ડેડીયાપાડા, નર્મદા

#DNSNEWS


Share to

You may have missed