October 17, 2024

ઝઘડીયાના MLA તરસાલી ગામે આગના બનાવનો ભોગ બનેલા પીડિત પરીવારની મુલાકાત લીધી

Share to

તાલુકા પંચાયત ઉપ પ્રમુખ પ્રકાશભાઈ દેસાઈ, ધારાસભ્ય રીતેશ ભાઈ વસાવા અને ઈમ્તિયાઝ અલી સૈયદે પરિવારની મુલાકાત કરી

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના તરસાલી ગામે થોડા દિવસ પેહલા આગ લાગવાનો બનાવ બન્યો હતો જેમાં આખેઆખું ઘર ભરીને ખાખ થઈ ગયું હતું, બનાવમાં 9 ઈસમો દાઝ્યા હતાં, ગંભીર રીતે દાઝીગયેલી એક મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું, ઘરમાં રહેલો ઘરવક્રીનો તમામ સામાન બળીને ખાખ થઈ જતા તેમજ નવ ઈસમો ગંભીર રીતે દાઝી જતા પરિવાર સહિત ગ્રામજનોમાં માતમ છવાયું હતું જે સંદર્ભે આજરોજ ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવા તેમજ ઝઘડિયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પ્રકાશભાઈ દેસાઈ અને મુસ્લિમ આગેવાન ઈમ્તિયાઝ અલી સૈયદે પીડિત પરિવારની મુલાકાત લીધી હતી અને ધારાસભ્યએ પીડિત પરિવારને જેટલી બને એટલી સહાય આપવાની ખાતરી આપી હતી.

રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા

#DNSNEWS


Share to

You may have missed