નેત્રંગ તાલુકાના ઊંડી ગામના ઉર્મિલાબેન દલુભાઈ વસાવા સામજિક કાર્યકર્તા તરીકે સેવા નિભાવે છે જેઓ તાલુકામાં આદિવાસી સમાજની મહિલાઓને વિવિધ રીતે મદદ કરતા હોય છે ત્યારે તાલુકાના ઢેબાર ગામના ત્રણ વ્યક્તિ માનસિક અસ્થિર હોય માતાએ સેવાભાવી એવા ઉર્મિલાબેન વસાવાને જાણ કરી તેઓની મદદ માંગી હતી જેના પગલે તેઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને ત્રણેય ભાઈઓને વડોદરા મેન્ટલ હોસ્પિટલ સારવાર માટે ખસેડ્યા હતા જેઓની સારવાર બાદ તેઓ સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ આપવામાં આવ્યું હતું અને ઉર્મિલાબેન વસાવા ત્રણેય ભાઈઓને તેઓની માતાને સોપતા લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા માતાએ ઉર્મિલાબેન નો આભાર વ્યક્ત કર્યો હતો અને મહિલા સામાજિક કાર્યકરે માનવતાનું કામ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
*દૂરદર્શી ન્યૂઝ વિજય વસાવા નેત્રંગ*
Khabar Ek dum Sachi
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનાં અંગ્રેજી ડિપાર્ટમેન્ટનાં ચતુર્થ સેમેસ્ટરના છાત્રોનો ભવ્ય વિદાય સમારોહ યોજાયો
જૂનાગઢ શહેરમાં ભગવાનશ્રી રામનાં જન્મોત્સવ નિમિત્તે કાળઝાળ ગરમીનાં સમયે ભાવીકોને ટનબધ્ધ તરબુચ અને જામફળનાં રસનું વિતરણ કરતા નગરશ્રેષ્ઠીઓ
જુનાગઢના ભેસાણ તાલુકાના ચણાકા ગામે ચૈત્રી નવરાત્રીનાં ઉપવાસનાં પારણા માંનાં સાંનિધ્યે ૫૧ કુંડી યજ્ઞ દ્વારા શાસ્ત્રોક્ત વિધી વિધાન એવં સમુહપ્રસાદથી પારણા છોડાવતા વેરાઇ માતાનાં ભક્તો