સુરત:બુધવાર: કોરોના વધતા જતા કહેરને ધ્યાને લઈ સુરત શહેરના પોલીસ કમિશનરશ્રી અજય તોમરે એક જાહેરનામા દ્વારા પોલીસ કમિશનરની હદ વિસ્તારમાં તા.૬/૫/૨૦૨૧ થી તા.૧૫/૦૫/૨૦૨૧ સુધી રાત્રિના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા દરમિયાન કોઈ વ્યકિતએ પોતાના રહેણાંક મકાનની બહાર નીકળવું નહી. તેમજ કોઈપણ માર્ગ, જાહેર રાહદારી રસ્તાઓ, રાજમાર્ગો, શેરીઓ, ગલીઓ તથા જાહેર જગ્યાઓ ઉપર ઉભા રહેવું નહી અથવા પગપાળા કે વાહનો મારફતે હરવા ફરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. રાત્રી કરફયું દરમિયાન ફકત આવશ્યક સેવાઓ શરૂ રહેશે. આ ઉપરાંત નિયત કરવામાં આવેલા નિયંત્રણો અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
More Stories
*માનનીય કલેકટર શ્રી ની સૂચના મુજબ આવતીકાલે તમામ શાળાઓમાં રજા રાખવાની રહેશે અને શિક્ષણ કાર્ય ઓનલાઇન કરવાનું રહેશે શાળા સ્ટાફે શાળા ઉપર હાજર રહેવાનું રહેશે*🙏25/07/2024
અંકલેશ્વર શહેર બી ડીવીઝન પો.સ્ટે.ના (અગ્નિશસ્ત્ર- દેશી હાથ બનાવટની પિસ્ટલ -૦૧ (અગ્નિશસ્ત્ર) તથા મેજીન-૦૨ તથા કાર્ટીઝ નંગ-૧૪) ના ગુનામા વોન્ટેડ આરોપીને પકડી તેની પાસેથી બીજા કાર્ટિઝ નંગ-૦૭ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી ક૨તી અંક્લેશ્વર શહેર” બી” ડીવીઝન પોલીસ
ખેડૂતોની જીવાદોરી સમાન ગણાતો માંડવી તાલુકાનો આમલી ડેમનાં 6 દરવાજા ખોલવામાં આવ્યા