September 7, 2024

ચાર ઘરફોડીયા ઓ ને પાસા મા ધકેલતી નર્મદા પોલીસ

Share to

નર્મદા પોલીસ નો ગુનેગારો ને કડક સંદેશ

ઈકરામ મલેક: રાજપીપળા

નર્મદા તેમજ છોટા ઉદેપુર જિલ્લા મા ઘરફોડ ચોરીઓ કરવા ટેવાયેલા સિકલીગર ગેંગ ના ચાર સભ્યો (1) સંતોક સિંઘ ગુરમુખ સિંગ સિકલીગર રહે. ગરુડેશ્વર રણછોડ જી મંદિર (2) ગુરુદયાલ સિંઘ ઉર્ફે ગુડડુ બચ્ચન સિંઘ સિકલીગર રહે. તિલકવાડા ગણસીન્ડા (3) સંતોકસિંગ ગુરમુખસિંઘ સિકલીગર રહે. ગરુડેશ્વર (4) ગુરુ ચરણ સિંગ ત્રિલોક્સિંગ સિકલીગર રહે. ઘોઘંબા જી.પંચમહાલ ને નર્મદા LCB ના પો.ઇન્સ એ.એમ પટેલ અને તેમની ટીમ દ્વારા ગરુડેશ્વર પોલીસ મથક ની હદ મા ઘરફોડ ચોરીને અંજામ આપતા કેસ મા ઝડપી સઘન પૂછપરછ કરતા આરોપીઓ એ છોટાઉદેપુર જિલ્લા મા પણ ઘરફોડ ચોરી ઓ કરી હોવાની કબૂલાત કરી હતી. આમ આરોપીઓના ગુનાહિત ઇતિહાસ ને જોતા તેઓની અસામાજિક પ્રવૃત્તિઓને અંકુશ મા લેવા માટે તેઓ સામે પાસાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ નર્મદા ને મોકલી આપી હતી.

આરોપીઓની ગુનાહિત કુંડળી ને જોતા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પાસા દરખાસ્ત ને મંજૂર રાખી ચારેય આરોપીઓ ને અનુક્રમે જામનગર, હિંમતનગર, જૂનાગઢ અને પાલનપુર ખાતે ની જેલ મા મોકલી આપવાનો હુકમ કરતા આરોપીઓ ને દિલ્હી, વડોદરા, ભરૂચ અને ધોરાજી ખાતે થી ઝડપી લાવી આરોપીઓ ને જેલભેગા કરી દેવામાં આવ્યા છે. આમ અન્ય જિલ્લાઓ માંથી આવી નર્મદા જિલ્લા મા ચોરીઓ ને અંજામ આપતા રીઢા ગુનેગારો માટે જિલ્લા પોલીસ નો એક કડક સંદેશ છે.


Share to

You may have missed