મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે આજે રાજકોટની PDU સિવિલ હોસ્પિટલ ખાતે ₹10 કરોડના ખર્ચે નિર્મિત કેથલેબ-કાર્ડિયોલોજી વિભાગનું લોકાર્પણ

Share to

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે આજે રાજકોટની PDU સિવિલ હોસ્પિટલ ખાતે ₹10 કરોડના ખર્ચે નિર્મિત કેથલેબ-કાર્ડિયોલોજી વિભાગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અન્વયે રાજ્ય સરકાર અંતર્ગત રાજકોટ ખાતે શરૂ થનાર રાજ્યની આ પ્રકારની સૌપ્રથમ કેથલેબ સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના હ્રદયરોગના દર્દીઓ માટે આશીર્વાદ સમાન બની રહેશે.

મુખ્યમંત્રીશ્રીએ કેથલેબ વિભાગમાં ઉપલબ્ધ અત્યાધુનિક સુવિધાઓનું રસપૂર્વક નિરીક્ષણ કરીને હ્રદયરોગના નિદાન અને સારવાર માટે ઉપલબ્ધ સુવિધા સંબંધિત માહિતી મેળવી હતી.


Share to