પ્રતિનિધિ /સતીશ વસાવા ઝગડીયા 13-08-23
ભરૂચ જિલ્લા ના ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલ હિન્દુસ્તાન કોપર લિમિટેડના ગુજરાત કોપર પ્રોજેક્ટ ખાતે ભારત સરકારના ખાણ મંત્રાલય હેઠળના ઉપક્રમે આઝાદીના અમૃત મહોત્સવ અભિયાન હેઠળ આયુષ વેલનેસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું..
આયુષ વેલનેસ શિબિર કેમ્પમાં આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો હાજરી આપી લાભ લીધો હતો. આયુષ અને પોર્ટ શિપિંગ અને જળમાર્ગના કેન્દ્રીય કેબિનેટ મંત્રી સરબાનંદ સોનાવલ દ્વારા શિબિરની ઓનલાઇન સમાપનમાં હાજરી આપવામાં આવી હતી. ખાણ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ અને હિન્દુસ્તાન કોપર લિમિટેડના ઉચ્ચ અધિકારીઓએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ પ્રસંગે ઝઘડિયા GIDC વિસ્તારના આજુબાજુના ગામના લોકોએ ઉપસ્થિત રહી શિબિર નો લાભ લીધો હતો..
More Stories
નેત્રંગ ખાતે પ્રાંત અધિકારીની અઘ્યક્ષતામાં ચાંદીપુરા વાયરસને લઈને બેઠક યોજાઈ.
રાજય સરકાર દ્રારા SHODH યોજના હેઠળ. ભરૂચ જીલ્લા ના ૮ પોલીસ સ્ટેશનમા ૮ પીઆઇ અને ૬ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમા એ.એસ.આઇ. ૬ તેમજ ૧૦ પીએસઆઇ મળી કુલ્લે ૨૪ નવી નિમણૂંક થશે.
* નેત્રંગ પો.સ્ટેશનમાં પીઆઇ કક્ષાના અધીકારીની નિમણુંક કરાશે