નેત્રંગ પોલીસ સ્ટેશન માંથી ૯ પોલીસ કમઁચારીઓની બદલી.૧૦ પોલીસ કમઁચારીઓની અન્ય પોલીસ સ્ટેશન માંથી નેત્રંગ ખાતે બદલી.

Share to



પ્રતિનિધિ દ્રારા નેત્રંગ. તા, ૦૭-૦૫-૨૦૨૩.

ભરૂચ જીલ્લા પોલીસ વડાએ ૬મે ના રોજ એક સામટે ૧૧૭ જેટલા પોલીસ કમઁચારીઓ ની બદલી કરવામા આવતા નેત્રંગ પોલીસ સ્ટેશન માંથી ૯ પોલીસ કમઁચારીઓની બદલી કરવામા આવી જ્યારે તેની સામે અન્ય પોલીસ સ્ટેશન માંથી ૧૦ જેટલા પોલીસ કમઁચારીઓની બદલી નેત્રંગ ખાતે કરવામા આવતા કહી ખુશી કહી ગમનો માહોલ છવાઈ ગયો છે.

ભરૂચ જીલ્લા પોલીસ વડા ડૉ લીના પાટીલે જીલ્લા ના અલગ અલગ પોલીસ સ્ટેશનો મા ફરજ બજાવતા પોલીસ કમઁચારીઓને તા ૩૦ એપ્રિલ ના રોજ રૂબરૂ મુલાકાત મા સાંભળવામા આવેલ રૂબરૂ રજુઆત ગ્રાહ્ય રાખી ૧૧૭ જેટલા પોલીસ કમઁચારીઓ ની બદલી એક સામટે અલગઅલગ પોલીસ સ્ટેશનોમા કરવામા આવતા નેત્રંગ પોલીસ સ્ટેશન મા ફરજ બજાવતા ૯ જેટલા પોલીસ કમઁચારીઓ ની અલગ અલગ જગ્યાએ બદલી કરવામા આવી છે જેમા (૧) મહેન્દ્રભાઈ ભુલાભાઈ , નેત્રંગ થી રાજપારડી (૨) જીતેન્દ્રભાઇ પ્રભાતભાઇ, નેત્રંગ થી ભરૂચ શહેર બી ડીવીઝન (૩) જેશલભાઈ ડાહ્યાભાઈ, નેત્રંગ થી રાજપારડી (૪) પ્રકાશભાઈ ભુપતભાઈ, નેત્રંગ થી ઝધડીયા (૫) રવિન્દભાઈ જશુભાઈ, નેત્રંગ થી રાજપારડી (૬) અજીતભાઈ વિરજીભાઈ, નેત્રંગ થી વાલીયા (૭) દિલસીંગભાઈ ફતાભાઈ, નેત્રંગ થી વાલીયા (૮).રોહીતભાઈ મંગુભાઈ, નેત્રંગ થી રાજપારડી (૯) પ્રરેશભાઈ પરબતભાઈ, નેત્રંગ થી દહેજ.                                                        જ્યારે અન્ય પોલીસ સ્ટેશન માંથી નેત્રંગ પોલીસ સ્ટેશન મા બદલી થઇ આવેલા પોલીસ કમઁચારીઓ ના નામ (૧) સંગીતાબેન રમણભાઈ,  અંકલેશ્વર શહેર બી ડીવીઝન થી નેત્રંગ (૨) કપિલાબેન ગોવધઁનભાઈ, વાલીઆ થી નેત્રંગ (૩) રણજીતભાઈ રુપજીભાઈ, રાજપારડી થી નેત્રંગ (૪).રાજેશભાઈ ગવલીયાભાઈ, દહેજ થી નેત્રંગ (૫) ધરમસીંગ માનસીંગ, ભરૂચ શહેર બી ડીવીઝન થી નેત્રંગ (૬) ગણેશભાઈ મણીલાલ, રાજપારડી થી નેત્રંગ (૭) કમલેશભાઈ ખાનસીંગ, ઝધડીયા થી નેત્રંગ (૮) ચંપકલાલ હરીસીંગ, રાજપારડી થી નેત્રંગ (૯) કલ્પેશભાઈ ગંભીરભાઈ, વાલીયા થી નેત્રંગ (૧૦) મુળજીભાઈ ખાનસીંગ, ઉમલ્લા થી નેત્રંગ.
બે કે ત્રણ વર્ષ ઉપરાંત થી એક જ પોલીસ સ્ટેશન મા ફરજ બજાવી રહેલ પોલીસ કમઁચારીઓ બદલીઓ પણ ટુક સમયમા થશે તેવુ જાણવા મળી રહ્યુ છે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed