અનેક ગામો ના ખેતરો સુધી પાણી પોંહચતું બંધ થઈ ગયું
ભરૂચ જિલ્લા ના ઝગડીયા તાલુકા માંથી પસાર થતી કરજણ જળાશય યોજના ની નહેર નર્મદા જિલ્લા માંથી નીકળી અને ભરૂચ જિલ્લા ના ઝગડીયા તાલુકાના ધારોલી ના ખેડૂતો ના ખેતરો સુધી પાણી પોહચાડતી એક મહત્વ ની ગણાતી યોજના અને નર્મદા જિલ્લા અને ઝગડીયા તાલુકામાં ખેતી ઉપર નિર્ભર રહેતા અને જીવન નિર્વાહ કરતા ખેડૂતો માટે જીવનદાયિની સમાન ગણાતી નહેર છે..જેમાં મેઈન કેનાલ, સબ કેનાલ, અને માઇનોર કેનાલ નો સમાવેશ થાય છે આ નાની સબ કેનલો થકી દૂર દૂર સુધી ખેડૂતો ને ખેતી કરવા માટે પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે શિયાળો, ઉનાળો,તેમજ ચોમાસા મા પણ વરસાદ ન થતા આ કેનાલ થકી ખેડૂતો ને પાણી પૂરું પાડવામા આવે છે..
![](https://durdarshinews.com/wp-content/uploads/2023/04/img-20230415-wa00098577028184019850184-300x135.jpg)
![](https://durdarshinews.com/wp-content/uploads/2023/04/img-20230415-wa00083462206098609675312-200x300.jpg)
ત્યારે આ યોજના ની શરૂઆત મા જે મેઈન કેનાલ થી સબ કેનાલ અને માઇનોર કેનલોનું ઘણી જગ્યા ઉપર જોડાણ આપી નહેરો બનવામાં આવી હતી પરંતુ ઘણા વર્ષો થી અમુક મોટા ભાગ ની માયનોર તેમજ સબ કેનાલ બંધ અને જર્જરિત થઈ જતા અને અમુક વિસ્તારમાં આ નેહરો ઉપર દબાણ પણ થઈ જતા અનેક ગામો ના ખેતરો સુધી પાણી પોંહચતું બંધ થઈ ગયું હોવાનું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે પાણી આવે છે તો કોઈક ખેતરો સુધી તે પાણી પોંહચતું નથી અને ખેડૂતો ને પાણી સમયસર અને પૂરતી માત્રા મા ન મળતા તેઓ એ ટ્યૂબવેલ અથવા અન્ય સ્ત્રોત ની મદદ થકી નિર્ભર રહેવું પડે છે જેમાં ખર્ચ પણ વધુ આવતો હોય છે જેના થી પાણી સમયસર અને પૂરતું ના મળવાથી અનેક ખેડૂતો ની સારી એવી ઉપજ મળી નથી રહી જેના થી ખેડૂતો ને નુકશાની ભોગવાનો વારો આવી રહ્યો છે ત્યારે આ બાબતે નહેર ખાતું ધ્યાન દોરી આવી જર્જરિત થઈ ગયેલ તથા બંધ થઈ ગયેલ અને પથ્થર નીકળી ગયેલ કેનલોને રીપેર કરી સમારકામ કરવામાં આવે તે જરૂરી છે…
![](https://durdarshinews.com/wp-content/uploads/2023/04/img-20230415-wa00075748287276717441362-300x167.jpg)
![](https://durdarshinews.com/wp-content/uploads/2023/04/000my-photo-pasport-jpg-01-01-01-497008550468218668977-290x300.jpg)
More Stories
નેત્રંગ ખાતે પ્રાંત અધિકારીની અઘ્યક્ષતામાં ચાંદીપુરા વાયરસને લઈને બેઠક યોજાઈ.
રાજય સરકાર દ્રારા SHODH યોજના હેઠળ. ભરૂચ જીલ્લા ના ૮ પોલીસ સ્ટેશનમા ૮ પીઆઇ અને ૬ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમા એ.એસ.આઇ. ૬ તેમજ ૧૦ પીએસઆઇ મળી કુલ્લે ૨૪ નવી નિમણૂંક થશે.
* નેત્રંગ પો.સ્ટેશનમાં પીઆઇ કક્ષાના અધીકારીની નિમણુંક કરાશે