Share to

સરકારી કચેરીઓમાં તથા શાળામાં બાબાસાહેબ આંબેડકર ની છબી અને સંવિધાન ની ભેટ આપવામાં આવી.

ભરૂચ જિલ્લા ના ઝઘડિયા પંથકમાં બાબાસાહેબ આંબેડકર ની જન્મ જયંતી નિમિત્તે વિવિધ કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા ઝઘડિયા નગરમાં પણ બાબાસાહેબ આંબેડકર ની જન્મ જયંતી નિમિત્તે મૌન રેલી યોજવામાં આવી હતી. ઝઘડિયા ચાર રસ્તા થી બાબા સાહેબ આંબેડકરને ફુલ ચઢાવી રેલી ટાવર રોડ, બજાર, બ્રાન્ચ શાળા થઈ ઝઘડિયા પોલીસ સ્ટેશન પહોંચી હતી. આ ઉપરાંત બાબાસાહેબ આંબેડકર ની જન્મ જયંતી નિમિત્તે વિવિધ સરકારી કચેરીઓમાં, શાળાઓમાં તથા ઝઘડિયા હાઈસ્કૂલમાં બાબાસાહેબ આંબેડકર ની છબી અને બાબાસાહેબ આંબેડકર દ્વારા લિખિત ભારતના સંવિધાન ની કોપી આપવામાં આવી હતી. ઝઘડિયા નગરમાં યોજાયેલ મૌન રેલીમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.


Share to

You may have missed