સરકારી કચેરીઓમાં તથા શાળામાં બાબાસાહેબ આંબેડકર ની છબી અને સંવિધાન ની ભેટ આપવામાં આવી.
![](https://durdarshinews.com/wp-content/uploads/2023/04/img-20230414-wa00225981227664661421656-300x206.jpg)
ભરૂચ જિલ્લા ના ઝઘડિયા પંથકમાં બાબાસાહેબ આંબેડકર ની જન્મ જયંતી નિમિત્તે વિવિધ કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા ઝઘડિયા નગરમાં પણ બાબાસાહેબ આંબેડકર ની જન્મ જયંતી નિમિત્તે મૌન રેલી યોજવામાં આવી હતી. ઝઘડિયા ચાર રસ્તા થી બાબા સાહેબ આંબેડકરને ફુલ ચઢાવી રેલી ટાવર રોડ, બજાર, બ્રાન્ચ શાળા થઈ ઝઘડિયા પોલીસ સ્ટેશન પહોંચી હતી. આ ઉપરાંત બાબાસાહેબ આંબેડકર ની જન્મ જયંતી નિમિત્તે વિવિધ સરકારી કચેરીઓમાં, શાળાઓમાં તથા ઝઘડિયા હાઈસ્કૂલમાં બાબાસાહેબ આંબેડકર ની છબી અને બાબાસાહેબ આંબેડકર દ્વારા લિખિત ભારતના સંવિધાન ની કોપી આપવામાં આવી હતી. ઝઘડિયા નગરમાં યોજાયેલ મૌન રેલીમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.
![](https://durdarshinews.com/wp-content/uploads/2023/04/img-20230414-wa00213655368924743709936-300x260.jpg)
![](https://durdarshinews.com/wp-content/uploads/2023/04/000my-photo-pasport-jpg-01-01-01-471202468483503582905-290x300.jpg)
More Stories
જૂનાગઢના દોલતપરામાં જાહેરમાં તીન પત્તી જુગાર રમતા ત્રણ ઇસમોને જુનાગઢ પોલીસે દબોચ્યા
BREAKING NEWS. SURART સુરત શહેર અને સુરત જિલ્લામાં વધારે વરસાદના કારણે સુરત જિલ્લા કલેકટર અને T.D.O દ્વારા જિલ્લાની તમામ શાળાઓ મા સાવચેતી પગલે આવતીકાલે તારીખ 24/07/ 2024 બુધવારે રજા જાહેર કરાય છે
નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર રમણપુરા ગામના પાટીયા પાસે રોડ ઉપર ભટકતી રહેતી અજાણી અસ્થિર મગજ ની માહિલને કોઈ ક વાહન ચાલકે અડફેટે લેતા તેનુ ધટના સ્થળે જ મોત.