ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે જાગૃત સામાજિક આગેવાનો દ્વારા ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ડીજે ના તાલે બાઈક રેલી યોજી ખૂબ જ ધામધૂમથી જન્મજયંતિ ઉજવવામાં આવી હતી. આ રેલીનું પ્રસ્થાન સામાજિક આગેવાન ધર્મેશભાઈ વસાવાના જીએમડીસી રોડ પર આવેલ ઘરેથી કરવામાં આવ્યું હતું અને રાજપારડી ચોકડી ખાતે આ જન્મજયંતિ નિમિત્તે યોજાયેલ બાઈક રેલીનું સમાપન થયું હતું અને સાથે સાથે આજના આ ડૉ ભીમરાવસાહેબ આંબેડકરની જન્મજયંતિ ના દિવસે જ સામાજિક આગેવાન ભદ્રેશભાઈ વસાવા ના પુત્રનો પણ જન્મદિવસ હોય જેના ભાગરૂપે ભદ્રેશભાઈ વસાવા દ્વારા જાગૃત યુવાનોને ભારતીય બંધારણના પુસ્તકો વિતરણ કરવામાં આવ્યાં હતાં.
![](https://durdarshinews.com/wp-content/uploads/2023/04/img-20230414-wa00201905044841044323198-300x161.jpg)
![](https://durdarshinews.com/wp-content/uploads/2023/04/img-20230414-wa00197510939008847420202-300x162.jpg)
જેથી આજના નવયુવાનો બંધારણીય હક્કો પ્રત્યે જાગૃત બને સાથે સાથે અન્ય નવયુવાનોને પણ બંધારણીય હક્કો પ્રત્યે જાગૃત કરે, વધુમાં કે આ ઉજવવામાં આવેલ ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે મોટી સંખ્યામાં નવયુવાનો ઉપસ્થિત રહ્યા હતાં અને આ પ્રસંગે તમામ ઉપસ્થિત યુવાનો અને વડીલો માટે ભોજન નું આયોજન પણ કરવામાં આવેલ હતું.
![](https://durdarshinews.com/wp-content/uploads/2023/04/000my-photo-pasport-jpg-01-01-01-482376374776690716683-290x300.jpg)
More Stories
નેત્રંગ ખાતે પ્રાંત અધિકારીની અઘ્યક્ષતામાં ચાંદીપુરા વાયરસને લઈને બેઠક યોજાઈ.
રાજય સરકાર દ્રારા SHODH યોજના હેઠળ. ભરૂચ જીલ્લા ના ૮ પોલીસ સ્ટેશનમા ૮ પીઆઇ અને ૬ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમા એ.એસ.આઇ. ૬ તેમજ ૧૦ પીએસઆઇ મળી કુલ્લે ૨૪ નવી નિમણૂંક થશે.
* નેત્રંગ પો.સ્ટેશનમાં પીઆઇ કક્ષાના અધીકારીની નિમણુંક કરાશે