October 17, 2024

વેલુગામ નારેશ્વર પાટીયા પાસે નર્મદા નદી એક વ્યક્તિ ડૂબી ગયો અથવા ગુમ થયો હોવાના માહિતી બહાર આવી રહી છે

Share to

વેલુગામ પંચાયત હદ માં આવતા નારેશ્વર પાટિયા પાસે નર્મદા કાંઠે રેતી ની લીઝ માં આ વ્યક્તિ કામ કરતો હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે…

ભરૂચ જિલ્લા ના ઝગડીયા તાલુકાના નર્મદા નદી માં ગતરોજ આ વ્યક્તિ જેનું નામ ઠામ હજુ ખબર નથી જે રેતી ની લીઝ માં નાવડી ચલાવતો હોવાનું બહાર આવ્યું છે જોકે હાલ લીઝ માં કામ કરતા લોકો દ્વારા નદી વિસ્તારમાં શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે પરંતુ ગતરોજ થી ગુમ થયેલ આ વ્યક્તિ નો કોઈ પતો મળ્યો નથી વાત કરવામાં આવે તો ઝગડીયા તાલુકાના નદીકાંઠા વિસ્તારમાં આવેલા વેલુગામ,નાનાવાસના, જેવા વિસ્તારો ની અંદર માંથી મોટા પાયે રેતી ખનન થઈ રહ્યું છે જેમાં કેટલાય ગેરકાયદેસર અને નીતિ નિયમો ને નેવે મૂકી રેતી કાઢવાના નિયમો નું સરેઆમ ઉલ્લંઘણ કરતા હોવાનું પણ સ્પષ્ટ પણે દેખાય રહ્યું છે પરંતુ આ બાબતે ખાણ ખનીજ વિભાગ તથા સરકારી તંત્ર અજાણ હોય તેમ લાગી રહ્યું છે અવારનવાર ઘણા લોકો રેતી કાઢવા માટે કરેલ ખાડામાં ડૂબી જવાની ઘટનાઓ આ વિસ્તારની અંદર ઘણા સમયથી ચાલતી આવી છે ત્યારે ગતરોજ પણ એક યુવાન ડૂબી જવાના સમાચાર મળતા લોકચર્ચા નો વિષય બન્યો છે અને સ્થાનિકો દ્વારા ખાણ ખનીજ વિભાગ ના અધિકારીઓ ને પણ આ વિશે જાણ કરવામાં આવી છે હાલ તો આ દિશાની અંદરમાં પોલીસ ટીમ ને જાણ થતા પોલીસ અને સ્થાનિકો દ્વારા જે તે વ્યક્તિ ની શોધખોર હાથ ધરવામાં આવી રહી છે જોકે આ યુવક ને પાણી મા ડૂબતા જોવામાં નથી આવ્યો ત્યારે જેતે વ્યક્તિ ગુમ થયો છે કે પછી ડૂબી ગયો છે તે હજુ સુધી સ્પષ્ટ કહી શકાય તેમ નથી…


Share to

You may have missed