Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

કમલમમાં વિરોધ બાદ રાજયભરના આપના કાર્યકરોની અટકાયત, સુરતમાં કોઈ નેતા-કાર્યકરની અટકાયત કે નજરકેદ નહી

Share to

(ડી.એન.એસ)સુરત,તા.૨૧

સમગ્ર રાજ્યના શહેરોના આમ આદમી પાર્ટીના નેતાઓ અને ડિટેઇન કરવામાં આવ્યા છે, અથવા તો નજરકેદ કરવામાં આવ્યા છે. પરંતુ સુરતમાં સ્થિતિ તદ્દન વિપરીત જાેવા મળી રહી છે. સુરતના મોટા ભાગના કોર્પોરેટરો હાલ ગાંધીનગર ખાતે છે. પરંતુ જે કોર્પોરેટરો સુરતમાં છે, તેમજ અન્ય નેતાઓ આમ આદમી પાર્ટીના જે શહેરમાં છે તેમને પોલીસ દ્વારા અટકાયત પણ કરવામાં આવી નથી અને નજરકેદ પણ કરવામાં આવ્યા નથી. જેને લઇને પણ શહેરની અંદર ચર્ચા શરૂ થઈ છે. સુરતમાં આમ આદમી પાર્ટીના કેટલાક કોર્પોરેટરો છે, તે તમામ અત્યારે પોતાની રીતે અલગ-અલગ કાર્યક્રમમાં વ્યસ્ત છે. પરંતુ પોલીસ દ્વારા અન્ય શહેરોની માફક સુરતના આપના નેતાઓને કોઈપણ પ્રકારની કનડગત કરવામાં આવી રહી નથી. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ખૂબ જ સારી રીતે સમજે છે કે, આમ આદમી પાર્ટીના નેતાઓ જે સુરતમાં છે. તેમને જ હેરાન કરવામાં આવે તો સુરત શહેરની અંદર સ્થિતિ બગડી શકે છે. આમ આદમી પાર્ટીનું સંગઠન રાજ્યના અન્ય શહેરો કરતાં સુરત શહેરમાં ખૂબ જ સારું છે. આમ આદમી પાર્ટી કોર્પોરેશનમાં વિરોધ પક્ષમાં હોવાને કારણે પાટીદાર વિસ્તારોમાં હજી પણ આમ આદમી પાર્ટીનું સંગઠન મજબૂત જાેવા મળી રહ્યું છે. જાે ભારતીય જનતા પાર્ટીના નેતાના ઈશારે પોલીસ સહિતના નેતાઓને નજર કેદ કરે કે અટકાયત કરે તો તે વધુ સ્થિતિ બગડી શકે છે. ભાજપના નેતાઓ એવું નથી ઈચ્છતા કે, સુરત શહેર પણ રાજ્યભરમાં ચર્ચામાં આવે. તેની ખાસ તકેદારી રાખીને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સુરત શહેરની આમ આદમી પાર્ટીની તમામ ગતિવિધિ ઉપર બાજ નજર રાખીને બેઠા છે. આમ આદમી પાર્ટીના સ્થાનિક કોર્પોરેટર અને નેતાઓ દ્વારા આજે કમલમ ખાતે થયેલા આમ આદમી પાર્ટી પરમ દમનને લઈને કોઈ કાર્યક્રમ આપી શકે તેવી શક્યતાઓ છે. આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને નેતાઓ પોતાના કાર્યકર્તાઓ સાથે સતત સંપર્કમાં રહીને કમલમ ખાતે થયેલા આમ આદમી પાર્ટીના નેતાઓ પર લાઠીચાર્જ થયા બાદ ગર્ભિત રોષ જાેવા મળી રહ્યો છે. કમલમ ખાતે થયેલી ઘટનાના પડઘા સુરતમાં પડી શકે તેવી પૂર્ણ શક્યતાઓને જાેતા આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર પોલીસ પણ ખાસ નજર રાખીને બેઠી છેસમગ્ર ગુજરાતમાં સૌથી વધુ સક્રિય આમ આદમી પાર્ટી સુરત શહેરમાં છે. સુરત કોર્પોરેશનમાં વિરોધ પક્ષ તરીકે આમ આદમી પાર્ટી પોતાની ભૂમિકા ભજવી રહી છે. તેના ઉપર ભાજપ સતત નજર રાખી રહ્યું છે. કમલમ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર જે પ્રકારે લાઠીચાર્જ થયો અને તેના કારણે રાજ્યભરની અંદર રાજકીય ચર્ચા જાેરશોરથી શરૂ થઇ છે. માટે રાજકીય નેતાઓના ઇશારે પોલીસ દ્વારા વિવિધ શહેરોમાં આપના કાર્યકરોની ધરપકડનો દોર શરૂ થયા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top