Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
જયગુરૂદેવ આશ્રમ મથુરાના રાષ્ટ્રીય ઉપદેશક શ્રી સતિષચંદ્ર સાહેબ  આજે  પઠાર ખાતે આધ્યાત્મિક સંત્સગ કરશે.
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….

ચોટીલામાં દર્શનાર્થીઓ મંદિરમાં ફોટોગ્રાફી- વિડિયોગ્રાફી કરી શકશે

Share to

(ડી.એન.એસ), ચોટીલા ,તા.૦૩

દિવાળીએ ઘણી છુટછાટ છે. દિવાળીથી લાભ પાંચમ સુધીમાં ચામુંડા માતાજીના દર્શને લાખો ભાવિકો આવશે એવું તારણ છે. તેમજ શહેરોમાં ખરીદી માટેની ભીડ જાેતાં અને કોરોના હળવો થતાં લાગી રહ્યું છે કે ભક્તો વધુ માત્રામાં દર્શન માટે આવી શકે છે. તો આ છૂટથી વૃદ્ધ અને માતાજીના દર્શન કરવા ચોટીલા ડુંગર જવામાં અસક્ષમ લોકોને આનંદ મળશે. જણાવી દઈએ કે યાત્રિકોની એવી લાગણી વ્યક્ત થતી હતી કે જ્યારે પરિવારની કોઇ વ્યક્તિ હોસ્પિટલમાં હોય છે. કે પછી ઘરનું કોઈ વડીલ ઉંમરલાયક ઘરે હોય પરંતુ અહીં આવી ના શકે ત્યારે તેમની આસ્થા હોય છે કે મોબાઈલ કે વિડીયો અથવા વિડીયો કોલથી તેઓ દર્શન કરી શકે. ત્યારે મોબાઇલ દ્વારા આ ઈચ્છા પૂરી કરવા અનેક ભાવિકો મોબાઈલ કે કેમેરાથી ફોટો લેવાની અદમ્ય ઇચ્છાઓ વ્યક્ત કરતા હતા. જેને લઈને હવે આ ર્નિણય લેવાયો છે.ચોટીલા ચામુંડા માતાજીનું ધામ છે. અહીં ડુંગર પર બિરાજમાન માતા ચામુંડાના દર્શન માટે દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો આવે છે. યાત્રાધામ ડુંગર પર હોવાના કારણે ઘણા વૃદ્ધ અને અ સક્ષમ ભક્તો નીચે થી જ માતાજીના દર્શન કરતા હોય છે. જાે કે ઉપર માતાજીની મૂર્તિના ફોટા પાડવાની વર્ષોથી સખ્ત મનાઇ હતી. પરંતુ હવે ભક્તો માટે ખુશખબર છે. જેઓ માતાજીના ધામે જવા કે ઉપર જઈને દર્શન કરવા અસક્ષમ છે તેઓને પણ હવે સરળતાથી માતા ચામુંડાના દર્શન થશે. જી હા આસો સુદ અગિયારસથી હવે માતાજીની મૂર્તિના ફોટા વિડીયો લઇ શકવાની છૂટ આપવામાં આવ્યાના અહેવાલ સામે આવ્યા છે. ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલમાં જણાવ્યું છે કે આ ફોટા અને વિડીયો લેવાની અનુમતિથી માડીના ભક્તોમાં ખુશીની લહેર ફરી વળી છે. ચોટીલા ચામુંડા માતાજીના દર્શને આખું વર્ષ દેશ વિદેશના યાત્રાળુઓ આવે છે. ત્યારે ડુંગર ઉપર બીરાજમાન ચામુંડા માતાજીના ફોટા પાડવાની કે વિડીયો ઉતારવાની વર્ષોથી સખ્ત મનાઇ હતી. ભક્તો માત્ર દર્શન કરીને પાછા વળતા હતા. પરંતુ હવે માતાજીની છબી પણ સાથે લઇ જઈ શકશે. અહેવાલમાં કહેવાયું છે કે ચામુંડા માતાજી ડુંગર મહંત પરિવારના મનસુખગિરિ ગોસાઇએ આ વિશે માહિતી આપી છે. તેમણે જણાવ્યું હતું કે માતાજીના લાખો ભક્તોની લાગણી હતી કે મૂર્તિના ફોટા પાડવાની છૂટ આપવામાં આવે. તેથી હવે ભક્તોની આસ્થા અને શ્રધ્ધાને ધ્યાનમાં રાખીને અગિયારસથી ફોટા તથા વિડીયો લઇ શકવાની છૂટ આપવામાં આવી છે. ત્યારે ગયા વર્ષે કોરોનાના કારણે ભક્તો દર્શન માટે આવી શક્યા ન હતા. તેમાં જ દિવાળીના તહેવારો બધે સાવ ફીકા ગયાં હતાં. આ સમયે ઘણા લોકોએ મોબાઈલ કે ઇન્ટરનેટના માધ્યમથી દર્શન કર્યા હતા.


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top