Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ચાસવડ-ડહેલી રોડ પર કબીરગામ અને સેવડ વચ્ચેના રોડ ઉપર. ટ્રક ચાલકે મોટરસાયકલ ચાલક ને સામેથી ટક્કર મારતા, મોટરસાયકલ ચાલક નુ મોત કબીરગામનો યુવક ઝઘડીયા જીઆઇડીસીની એક કંપની માંથી સેકન્ડ સીફટમા નોકરી કરી રાત્રિના ધરે પરત આવી રહ્યો હતો.
* નેત્રંગ આદશઁનિવાસી શાળાના આચાર્ય-શિક્ષકોની તાત્કાલિક બદલી માહોલ ગરમાયો * વિધાર્થીઓ વિરોધ-પ્રદશઁન કરાતાં પોલીસતંત્રએ માહોલ શાંત પાડ્યો * આચાર્ય-શિક્ષકોની આંતરિક તકરારના કારણો બદલી કરાયાના અહેવાલ
અંકલેશ્વર થી મહારાષ્ટ્ર -બુરાહનપુર મધ્ય પ્રદેશ ને જોડતા રસ્તા, નેત્રંગ થી  રાજપારડી અને ધારોલી થી સારસા ડુંગર રાજપારડી ને  જોડતા તમામ જાહેર રસ્તાઓ બનાવવા બાબત.
બે બે વખત ખાતમુહર્ત કર્યા અને આઝાદી પછી પ્રથમ વખત ગરીબ આદિવાસી પ્રજાને નસીબ થયેલ.નેત્રંગ-ફોરેસ્ટ કાંટીપાળા અને ઝરણાને જોડતા રોડના એક જ વર્ષમા બેહાલ.
દિલ્હીમાં AAPને મોટો ઝટકો, ત્રણ વખતના મુખ્યમંત્રી કેજરીવાલ ચૂંટણી હાર્યા
જયગુરૂદેવ આશ્રમ મથુરાના રાષ્ટ્રીય ઉપદેશક શ્રી સતિષચંદ્ર સાહેબ  આજે  પઠાર ખાતે આધ્યાત્મિક સંત્સગ કરશે.
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું

રમતગમતને પ્રોત્સાહન આપવા માટે ભરૂચ જિલ્લામાં ખેલો ઈન્ડિયા સેન્ટર શરૂ કરવા માટે અરજીઓ આમંત્રિત કરાઈ

Share to

ભારત સરકારના રમતગમત મંત્રાલય દ્વારા ખેલો ઈન્ડિયા યોજના હેઠળ ભારત ભરમાં ૧૦૦૦ ખેલો ઈન્ડિયા સેન્ટર જિલ્લા કક્ષાએ શરૂ કરવા માટે યોજના અમલમાં આવેલ છે.           

આ ખેલો ઈન્ડિયા સેન્ટરમાં તાલીમ માટે ઓલમ્પિક-૨૦૨૪ને ધ્યાને લઈ (આર્ચરી, એથ્લેટિક્સ, બેડમિન્ટન, બોક્સિંગ, સાયકલિંગ ફેન્સિંગ, હોકી, જુડો, રોવિંગ, શુટિંગ, સ્વિમિંગ, ટેબલ ટેનિશ, વેઇટ લિફ્ટિંગ, કુસ્તી) જેવી ૧૪ રમતોનો સમાવેશ કરવામાં આવેલ છે.આ ખેલો ઈન્ડિયા સેન્ટરમાં વધુમાં વધુ ત્રણ રમતો તથા રમત દીઠ ઓછામાં ઓછા ૩૦ તાલીમાર્થીઓ હોય તેવી સંસ્થા અથવા ભુતપૂર્વ ખેલાડીઓ આ સેન્ટર શરૂ કરવા માટેનો લાભ મેળવી શકશે. આ ખેલો ઈન્ડિયા સેન્ટર માટે પ્રત્યેક રમત દીઠ એક વખત મળવાપાત્ર શરૂઆતી સહાય રૂ.૫.૦૦ લાખ આપવામાં આવશે. ત્યારબાદ જરૂરી સ્ટાફનું માનદ વેતન,નવા રમતના સાધનો ખરીદી કરવા,સ્પોર્ટ્સ કીટ,સ્પર્ધામાં ભાગ લેવા માટે થનાર ખર્ચ માટે પ્રત્યેક રમત દીઠ વાર્ષિક મળવાપાત્ર સહાય રૂ.૫.૦૦ લાખ રહેશે.       

ભારત સરકારની ગાઈડલાઇન અનુસાર અત્રેના જિલ્લામાં ખેલો ઈન્ડિયા સેન્ટર શરૂ કરવા અંગે દરેક ભૂતપુર્વ વિજેતા ખેલાડી કે જેઓ હાલ રમતનું પ્રશિક્ષણ આપતા હોય કે જેઓની જરૂરી લાયકાત વ્યક્તિગત કે ટીમ ઇવેન્ટમાં નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન અથવા એસોસીએસન હેઠળ (૧) આંતર રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કરેલ હોય (૨) સિનિયર નેશનલ ટુર્નામેન્ટ તથા ખેલો ઈન્ડિયા ગેમ્સમાં મેડલ મેળવેલ હોય (૩) ઓલ ઈન્ડિયા આંતર યુનિવર્સિટી ટુર્નામેન્ટમાં મેડલ વિજેતા હોય (૪) સિનિયર નેશનલ ટુર્નામેન્ટમાં રાજયનું પ્રતિનિધિત્વ કરેલ હોય અથવા ખેલો ઈન્ડિયા ગેમ્સમાં ભાગ લીધેલ હોય કે જેઓની ઉંમર ૪૦ વર્ષથી નીચે હોય તેવા ખેલાડીઓ તથા પાંચ વર્ષથી વધુ સમયથી રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહન પૂરું પાડતી હોય તેવી સ્પોર્ટ્સ એકેડમી/સંસ્થાઓ/શાળા ઓ પોતાની દરખાસ્તો(વધુમાં વધુ ત્રણ રમતો માટે) જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, સેવા આશ્રમ રોડ, હોસ્ટેલ ગ્રાઉન્ડ,ભરૂચ ખાતે તા.૨૬/૦૫/૨૦૨૧ સાંજે ૦૫:૦૦ કલાક સુધીમાં અરજી જરૂરી તમામ ડૉક્યુમેન્ટ સાથે રૂબરૂ મોકલી આપવાની રહશે.ઓનલાઈન અરજી ફોર્મ nsrs.kheloindia.gov.in પરથી રજીસ્ટ્રેશન કરી મેળવી શકાશે એમ જિલ્લા રમતગમત અધિકારી – ભરૂચે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.  


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top