September 7, 2024

યાસનો ખતરોઃ બંગાળ , ઓડિશા પર ૨૬ મીએ વાવાઝોડું ત્રાટકશે

Share to

એનડીઆરએફની ૬૫ ટીમ તૈનાત

કોલકાત્તા
બંગાળની ખાડી પર શનિવારે ઘટેલા દબાણને લીધે પશ્ચિચમ બંગાળ , ઓડિશા અને બંગલાદેશના કિનારાના વિસ્તારો પર ૨૬ મી મેના દિવસે જો રદાર વાવાઝોડું ત્રાટકવાની આગાહી હવામાન વેભાગે રવિવારે કરી હતી . સંરક્ષણ પ્રવકતાએ જણાવ્યું હતું કે વાવાઝોડું જયાં સૌથી વધુ ત્રાટકવાનું છે , એ વિસ્તારોમાં ઝડપથી રાહત અને બચાવકાર્ય માટે નૌસેનાએ પોતાના જહાજો અને વિમાનો તૈયાર રાખ્યા છે . હવામાન ખાતાએ જણાવ્યું હતું કે વાવાઝોડું બુધવારે ( ૨૬ મી મે ) સાંજે બંને રાજ્યો પર ત્રાટકશે . વાવાઝોડાને લીધે પવન ૯૦ થી ૧૧૦ કિ . મી . પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવાની શક્યતા દર્શાવવામાં આવી છે . ૨૬ મીએ કિનારા નજીકના જિલ્લાઓમાં અમુક સ્થળે ભારેથી અતિભારે અને બંને રાજયોમાં અન્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદના ઝાપટાં પડવાની આગાહી કરવામાં આવી છે .


Share to

You may have missed