નેત્રંગ તાલુકાના ગાલીબા ગામે ૧૦ તબક્કાના ૩ સેવાસેતુનો કાયઁક્રમ ભરૂચ લોકસભા સાંસદ મનસુખભાઇ વસાવાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.જેમાં ગાલીબા,વાલપોર,ફીચવાડા,કુંડ,બિલાઠા,વરખડી,ખરેઠા,યાલ,મોવી,વાંદરવેલી અને રૂપઘાટ ગ્રામજનોના આધારકાર્ડ,રેશનકાર્ડ,વૃદ્ધ-વિધવા પેન્શન,ભારત આયુષ્માન કાર્ડ અને રાજ્ય-કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજના લાભ ઘરઆંગણે આપવામાં આવ્યો હતો.
ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે,આદિવાસી સમાજના કલ્યાણ માટે રાજ્ય-કેન્દ્ર સરકાર વિવિધ યોજના અમલમાં મુકે છે.પરંતુ સારા ઉધોગ-ધંધામાં રોજગાર અને સારી નોકરી કરવી હોય તો શિક્ષણ ખુબ જ જરૂરી છે.આજના સમયમાં શિક્ષણ વગર કંઈપણ શક્ય નથી.વિધાથીઓના અભ્યાસ માટે સરકાર શિષ્યવૃતિ આપીને પ્રોત્સાહિત કરે છે.આદિવાસી સમાજનો સવૉગીં વિકાસ શિક્ષણથી થશે તેવું જણાવ્યું હતું.જે દરમ્યાન ભરૂચ જી.બાંધકામ ચેરમેન રાયસીંગભાઇ વસાવા,નેત્રંગ તા.પંચાયત પ્રમુખ વસુધાબેન વસાવા અને પદાધિકારીઓ-અધિકારીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
*વિજય વસાવા નેત્રંગ*
More Stories
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સુરત નવી સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા ૪૦૧ મીટર લાંબી સાડી પ્રદર્શિત કરી અંગદાન જાગૃત્તિનો સંદેશ અપાયો——-
જૂનાગઢ શહેર વિસ્તારના દેશી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ પ્રોહીબીશનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમ મયુર ડાંગર ને પાસા ડાયદા હેઠળ સેન્ટ્રલ જેલ, વડોદરા ખાતે ધડેલતી જૂનાગઢ, કાઈમ બ્રાન્ચ
નેત્રંગ તાલુકાનું ગૌરવ : પઠાણ પરીવારનો દીકરો MBBS ડોક્ટરની ડિગ્રી મેળવી