Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

રાજ્ય સરકાર ગરીબોના કલ્યાણનું હિત વિચારી રહી છે, પરંતુ ખરેખર ગરીબ કલ્યાણ મેળા થકી લાભાર્થીઓનું કલ્યાણ થાય છે ખરું એ વિચારવાલાયક પ્રશ્ન છે, નેત્રંગ તાલુકામાં 13મા તબક્કાની કિટ હજુ આદર્શ નિવાસી શાળામાં ધૂળ ખાઈ રહી છે, ત્યારે 14મા તબક્કાનો ગરીબ કલ્યાણ મેળો યોજાઈ ગયો

Share to

(હાથોહાથ છેતરામણી) *ગરીબ મેળામાં કોનું કલ્યાણ?*


જાહેર મંચ ઉપરથી મોટા ઉપાડે ગરીબોના કલ્યાણની મોટી મોટી વાતો કરનારા નેતાઓ ગરીબોનાં ઘર સુધી સ્થિતિનો તાગ મેળવે તો ખબર પડે કે ખરેખર ગરીબોનું કલ્યાણ થયું છે, ગરીબ કલ્યાણ મેળાઓમાં બીજા કોઈનું જ કલ્યાણ થઇ ગયું હોય એવું લાગે છે


અગાઉ વિદ્યાર્થીઓ ભણે એ માટે સાઈકલ વિતરણ કરવાની યોજના અમલી બનાવી હતી, પરંતુ સાઈકલો પણ પડી પડી સડી ગઈ હતી

પ્રતિનિધિ દ્રારા નેત્રંગ. તા.૦૧-૧૦-૨૪

વિકસિત ભારત, વિકસિત ગુજરાતના નારા સાથે જન જનના કલ્યાણ માટે કટિબદ્ધ ગુજરાત સરકારની વિકાસની ગતિને જાણે બ્રેક લાગી રહી છે. ગરીબ કલ્યાણની નીતિ, સર્વાંગી વિકાસની વાતો તો કરવામાં આવે છે પરંતુ જમીની હકીકત કંઇક જુદી જ છે. છેવાડાના માનવીને આર્થિક વિકાસના સપના બતાવવામાં આવે છે પરંતુ આવા છેવાડાના લોકોનું ખરેખર કલ્યાણ થાય છે ખરું એ વિચાર માંગી લે એવો પ્રશ્ન છે. સ્વરોજગાર માટે ગરીબ કલ્યાણ મેળા થકી ટૂલ કિટનું વિતરણ કરવામાં આવે છે. પરંતુ ગરીબોની રીતસર મજાક કરવામાં આવી હોય એવું પ્રતીત થઈ રહ્યું છે. ક્યાંક હલકી કક્ષાની કિટ તો ક્યાંક જૂની કિટ ભંગારના ગોડાઉનમાં પડી પડીને સડી રહી હોવાનું બહાર આવ્યું છે. ત્યારે નેત્રંગ તાલુકાના લાભાર્થીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
જિલ્લા કક્ષાએ યોજાતા ગરીબ કલ્યાણ મેળાઓમાં પદાધિકારીઓ તેમજ અધિકારીઓ ફોટોસેશન પૂરતી અમુક લાભાર્થીઓને ટૂલ કિટ આપી કાર્યક્રમ સમેટી લે છે. બાકીના લાભાર્થીઓને ટૂલ કિટ મળી છે કે નથી મળી તે બાબતે કોઈ પદાધિકારીઓ કે અધિકારીઓને પડી નથી. જેને લઈ ગરીબ લાભાર્થીઓ લાભથી કાયમ માટે વંચિત રહેતા હોવાની બૂમ ઊઠી રહી છે.
આવાં તો અનેક ઉદાહરણો છે, જ્યાં સરકાર લાભાર્થીઓને કિટ મળે એવું આયોજન કરતી હોય છે પરંતુ લાભાર્થીઓ લાભથી વંચિત રહી જાય છે. પાછલા વર્ષમાં ગરીબ આદિવાસી કન્યાઓ ભણી શકે એ માટે રાજ્ય સરકારે સાઈકલ આપવાની યોજના શરૂ કરી હતી. પરંતુ અંધેર વહીવટના કારણે કન્યાઓને સાઈકલો નસીબ ન થઈ અને હજારો સાઈકલો ભંગારમાં આપવી પડી. જેના માટે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થઈ કે નહીં તે તંત્ર જાણે. આ સંજોગોમાં ભરૂચ ખાતે આવેલી મદદનીશ વિકાસ કમિશનર આદિવાસીઓ કચેરીનો અંધેર વહીવટ સામે આવ્યો છે. ૧૩મા તબક્કાનો ગરીબ કલ્યાણ મેળો ગત વર્ષ યોજાયો હતો, જેમાં આ વિભાગ થકી નેત્રંગ તાલુકાના છેવાડાના ગરીબ આદિવાસીઓ સ્વરોજગાર મેળવે એ માટે જે-તે લાભાર્થીઓને ટૂલ કિટ વિતરણ કરવાની હતી. પરંતુ છેલ્લા એક વર્ષથી નેત્રંગ ખાતે આવેલી આદર્શ નિવાસી શાળાની જર્જરીત હોસ્ટેલના એક બંધ રૂમમાં પડી પડી ધૂળ ખાઈ રહી છે. જ્યારે હાથલારીઓ બહારના ભાગમાં વિતરણની રાહ જોઈને પડી રહી છે. ૧૩મા તબક્કાની કિટ ધૂળ ખાઈ રહી છે. તો ૧૪મા તબક્કાની કિટનું શું થયું હશે.
…………….

*વિજય વસાવા નેત્રંગ*

કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર થકી ગરીબ કલ્યાણ મેળા યોજી લોકોના સર્વાંગી વિકાસનો પ્રયાસ કરવામાં આવે છે પરંતુ
આ યોજનાઓનો લાભ આમ જનતાને મળે છે કે કેમ તે જોવાની કે તપાસ કરવાની પદાધિકારીઓ કે ઉચ્ચ અધિકારીઓને પડેલી નથી. ફક્ત એક દિવસ માટે જિલ્લાનો સૌથી મોટો ગરીબ કલ્યાણ મેળો યોજી ફોટોસેશનની કામગીરી કરવામાં આવે છે.


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top