Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

પ્રાકૃતિક ખેતી- ભરૂચ જિલ્લો *** નેત્રંગના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડના સહયોગથી પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા ખેડૂતોને તાલીમ અપાઈ

Share to

*જમીન અને ઉત્પાદનનીની ગુણવત્તા જાળવી રાખવા ગાય આધારિત,પ્રાકૃતિક ખેતી અપનાવવા ગ્રામજનોને સમજ અપાઈ* ભરૂચ- ગુરુવાર – આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે પર્યાવરણની ગુણવત્તા જાળવવી ખૂબ જરૂરી છે. જેમાં જમીનને પ્રદુષિત થતી બચાવવા અને ગુણવત્તાયુક્ત ખેતઉત્પાદ મેળવવા માટે પ્રાકૃતિક ખેતીનો વિકલ્પ મળે તેમ નથી. ત્યારે પ્રાકૃતિક ખેતીનો વિસ્તાર વધારવા માટે રાજ્યસરકાર દ્વારા અસરકારક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત ભરૂચ જિલ્લા ખેતીવાડી વિભાગ, એગ્રિકલ્ચર ટેક્નોલોજી મેનેજમેન્ટ એજન્સી (આત્મા) તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા રસાયણમુક્ત પ્રાકૃતિક ખેતી પ્રત્યે ખેડૂતોમાં જાગૃતતા વધે તે માટે વિવિધ આયોજનો થઈ રહ્યા છે.

નેત્રંગના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડના સહયોગથી પ્રાકૃતિક ખેતીની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં સંસ્થાના વડાશ્રી મહેન્દ્રભાઈ પટેલે ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની ઊંડાણપૂર્વક માહિતી આપી હતી. જમીન અને ઉત્પાદનનીની ગુણવત્તા જાળવી રાખવા ગાય આધારિત, પ્રાકૃતિક ખેતી અપનાવવા ગ્રામજનોને સમજ અપાઈ હતી. પ્રારંભિક ધોરણે ખેડૂતો કિચન ગાર્ડનમાં ગુણવત્તાયુક્ત અને રસાયણમુક્ત શાકભાજી કેવી રીતે ઉગાડી શકે તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેઓને ખેતર, વાડો કે ઘર આંગણે વાવી શકાય તેવા શાકભાજીના વાવેતર અને ઉછેરની પણ સમજ આપી.

નેત્રંગના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ ખાતે આ પ્રકારની તાલીમ અને માર્ગદર્શક કાર્યક્રમનું આયોજન થવાથી આજુબાજુના ગ્રામજનોએ પણ રાસાયણિક ખેતી છોડી ધીરે-ધીરે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે ઉત્સાહ દર્શાવ્યો છે.


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top