Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

મીડિયા ના એહવાલ બાદ કાર્યવાહી પરંતું… ખનીજ વિભાગ ને રેતીના મહાકાય ઢગલા કેમ દેખાયા નહિ એ બાબતે આશ્ચર્ય સર્જાયું..

Share to

પ્રતિનિધિ /- સતીશ વસાવા ઝગડીયા DNS NEWS

રાત્રી દરમિયાન હાયવા ટ્રક મોટી સઁખ્યા માં ચાલતા ટ્રકો ના ઘોઘાટ થી ઉમલ્લા સહિત ઇન્દોર,પાણેથા માર્ગ માં આવતા ગામો ના લોકો ની ઊંઘ હરામ….

વાહનોને મેમો આપીને ઉમલ્લા પોલીસને સોંપવામાં આવ્યા

ભરૂચ ખાણ ખનીજ વિભાગે ગત રોજ રાતના સમયે
ઝઘડિયા તાલુકાના ઉમલ્લા પંથકના નર્મદા કાંઠા વિસ્તારના ઇન્દોર પણેથા તરફથી રેતી ભરીને આવતી કેટલીક ટ્રકો અટકાવીને ચેકિંગ હાથ ધર્યું હોવાનું જાણવા મળ્યું હતું.

જિલ્લા ભુસ્તર વિભાગના આકસ્મિક ચેકિંગ દરમિયાન
૧૨ જેટલી રેતીવાહક ટ્રકો રોયલ્ટી વિનાની તેમજ ઓવરલોડ હોવાનું જણાતા આ વાહનોને મેમો આપીને ઉમલ્લા પોલીસને સોંપવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકા માંથી વહેતી નર્મદા નદીના વિશાળ પટમાંથી લાંબા સમયથી
મોટાપાયે ચૈત ખનન થાય છે.નર્મદાના પટમાંથી રેતી ભરીને આવતા વાહનો પૈકી ઘણા વાહનો રોયલ્ટી ભર્યાવિનાના,વરલોડ જથ્થો તેમજ પાણી નીતરતી રેતી
ભરીને આવતા હોવાની વ્યાપક ફરિયાદો અવારનવાર ઉઠતી હોય છે. જિલ્લા ભુસ્તર વિભાગ દ્વારા કોઈ વાર નામ માત્રની કાર્યવાહી કરીને સંતોષ લેવામાં આવતો હોય છે. ગતરોજ રાતના જિલ્લા ભુસ્તર વિભાગ
દ્વારા ઝઘડિયા તાલુકાના ઉમલ્લા પંથકના નર્મદા કાંઠા
વિસ્તાર માંથી રેતી ભરીને આવતી કેટલીક ટકો અટકાવીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું,જેમાં ૧૨ જેટલી ટ્રકોમાં રોયલ્ટી ચોરી તેમજ ઓવરલોડ જથ્થો ભરેલ હોવાનું જણાતા તેમને મેમો આપીને આ વાહનો
ઉમલ્લા પોલીસને સોંપ્યા હતા.ઉલ્લેખનીય છે કે રાજપારડી થી ઉમલ્લા સુધીના વિસ્તારમાં ખડોલી, રાજપારડી, સારસા, હરિપુરા, ઉમલ્લા દુ.વાઘપુરા જેવા વિસ્તારોમાં મુખ્ય ધોરીમાર્ગ ને અડીને અને કેટલાક સ્થળોએ લગભગ લગોલગ રેતીના મહાકાય ડુંગર સમાન ઢગલાઓ ઉભા કરાયા છે. ભુસ્તર વિભાગના ના અધિકારીઓ આ રેતી ના નિયમ વિરુદ્ધ ઉભા કરાયેલ ઢગલાઓ નજીકથી ઉમલ્લા તરફ ગયા હશે, ત્યારે એમને રેતીના આ ઢગલા કેમ દેખાયા નહિ એ બાબતે આશ્ચર્ય સર્જાયું હતું.

ભૂસ્તર વિભાગે જે રેતી ની રોયલ્ટી વિનાની ટ્રકો ઝડપી તે કો પૈકી ઘણી ટ્રકો આવા રેતીનો સ્ટોક
કરતા વેપારીઓ ખરીદીને સંગ્રહ કરતા હોય છે,ત્યારે રેતીનો સ્ટોક કરેલ ઢગલામાં પણ રોયલ્ટી ચોરી થતી હોય એ સ્વાભાવિક છે, છતાં રેતીના ઢગલાઓ વંટીને ઉમલ્લા તરફ ગયેલ ખાણ ખનિજ અધિકારીઓને કેમ રેતીનામહાકાય ઢગલા દેખાયા નહિ?

રેતીના ઢગલાઓની મહત્તમ ઊંચાઇ કેટલી હોવી જોઈએ તેમજ રોડથી કેટલા દુર હોવા જોઇએ એ બાબતે પણ જરૂરી નિયમો નો અભાવ હોવા છતાં જિલ્લાનો ભુસ્તર વિભાગ આંખ આડા કાન કરે છે,ત્યારે આ બાબતે રાજ્ય સ્તરેથી ભુસ્તર અધિકારીઓ દ્વારા ન્યાયિક તપાસ કરવામાં આવે તેવી માંગ પણ તાલુકાની જનતામાં ઉઠવા પામી છે…


Share to
Satish vasava from jhagadiya work at durdrshinews PVT LTD, bureau chief BHARUCH district...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top