Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

સૌરાષ્ટ્ર પ્રદેશે એક સનિષ્ઠ સત્યવાદી રાજનેતાની છત્રછાયા ગુમાવી છે,જુનાગઢ ના સત્ય અને મૂલ્યનિષ્ઠા નાં ભેખધારી પુર્વ ધારાસભ્ય રત્નાબાપા ઠુમ્મર નું 103 વર્ષનીવયે અવસાન

Share to



જુનાગઢ ના ૧૦૩ વર્ષ ની આવરદા પ્રાપ્ત પ્રખર રાષ્ટ્રવાદી, જાહેરજીવન દરમિયાન સરકારી ભથ્થા અસ્વિકૃત કરનાર રત્નાભાઇનો આત્મા દિવ્ય જ્યોત માં વિલીન
ખેડૂતો નાં મસીહા બની તત્કાલીન સરકાર સામે બંડ પોકારી ખેડૂતો પર લાદેલ લેવી કર નાબુદ કરાવ્યો
અન્નઅછતના દિવસોમાં તત્કાલીન પ્રધાનમંત્રી શ્રી લાલ બહાદુર શાસ્ત્રીની આહલેક હતી કે અઠવાડિયે ઍક ટંક અનાજ ભોજન મા નહીં લેવું. આ વાત જીવન પર્યંત સ્વીકારીને રત્નાબાપા નો પરિવારને આજે પણ દર સોમવારે એક ટંક ભોજન નહીં કરવાની પ્રથા રત્નાબાપા નાં અંતિમ શ્વાસ સુધી ચાલુ રાખી લાલ બહાદુર શાસ્ત્રીને સમર્પિત શ્રદ્ધભાવ વ્યકત કરે છે

જુનાગઢ તા.૧૨, સૌરાષ્ટ્રની ધરા પરથી આજે શતાયુ ઉમર પાર કરી ચૂકેલા પ્રખર રાષ્ટ્રવાદી મૂલ્યનિષ્ઠ રાજનીતિજ્ઞ, ખેડૂતોના મસિહા પૂર્વ ધારાસભ્ય એવા રત્નાભાઇ મનજીભાઈ ઠુંમરનું આજે ૧૦૩ વર્ષની ઉંમરે દેહાવસાન થતાં સૌરાષ્ટ્ર પ્રદેશે એક સનિષ્ઠ સત્યવાદી રાજનેતાની છત્રછાયા ગુમાવી છે,
અત્રે ઉલ્લેખનીય છે કે સોરઠ પ્રદેશમાં વસવાટ કરતા મૂલ્ય નિષ્ઠ રાજનીતિજ્ઞોમાં સૂર્યકાંતભાઈ આચાર્ય કે જેઓ વનવાસી ક્ષેત્રમાં વન બંધોના કલ્યાણ અર્થે જીવન પર્યંત પોતાની જિંદગી ખર્ચી હતી, અને સોરઠમાં ખેડૂતો પર અગાઉની સરકારોએ લાદેલી લેવી પ્રથા એટલે કે લેવીકરને નાબૂદ કરવા માટે જેમણે લોકલડત ને અંજામ આપ્યો હતો એવા પ્રખર સત્યનિષ્ઠ રત્નાભાઇ ઠુંમર પ્રધાનમંત્રી શ્રીના અંગત વર્તુળ પૈકીના આત્માઓ રહ્યા છે. આજે રત્નાભાઇએ ૧૦૩ વર્ષની ઉંમરે પોતાના વિશાળ પરિવારને વિલાપ કરતો મૂકીને વૈકુઠ તરફ પ્રયાણ કર્યું છે, ત્યારે સૌરાષ્ટ્ર પ્રદેશે એક મૂલ્યનિષ્ઠ નેતૃત્વની ખોટ પડી છે ,અત્રે ઉલ્લેખનીય છે કે રાજકીય કારકિર્દી દરમિયાન રત્નાભાઇ ઠુમરે સરકારની તિજોરીમાંથી ક્યારેય એક પણ પૈસાનો ભથ્થાનો સ્વીકાર કર્યો નથી,ધારાસભ્ય પદે પોતાના કાર્યકાળ દરમિયાન તેઓએ સામાન્ય એસટી બસમાં જ ગાંધીનગર ખાતે જવા આવવાની નેમ રાખી હતી. રત્નાભાઈએ લાલ બહાદુર શાસ્ત્રીના અઠવાડિયે એક ટંક અને અન્ન ત્યાગની વિભાવનાને જીવન પર્યંત સ્વીકારીને પોતાના પરિવાર સાથે દર સોમવારે એક ટંક ભોજન નહીં સ્વીકારવાની પ્રથા કાયમી અમલ બનાવી રાખી હતી. આ જ રીતે રત્નાભાઇએ પોતાના માતૃશ્રી જીવી બાના સ્મરણ અર્થે પોતાની પાસે એક અલગ આવકનો સોર્સ જાળવાઈ રહે તે માટે જમીન રાખી તેમાંથી ઉત્પાદિત ખેત ઉત્પાદનમાંથી થતી આવક ગામની વિધવા ત્યકતા બહેનોના કલ્યાણ અર્થે, ગરીબ બાળકોના શિક્ષણ અર્થે, ગામની ગૌશાળા ના દાન માટે, અને જરૂરીયાત મંદ પરિવારોને અન્ન વિતરણ થઈ શકે તે દિશામાં સત્કાર્ય કરતા રહ્યા છે. ત્યારે તેઓએ પ્રધાનમંત્રીશ્રી ની હાકલને સાંભળીને કોરોના કાળે પ્રધાનમંત્રી શ્રી ના ફંડમાં એકાવન હજાર રૂપિયાની નિધિ અર્પણ કરી હતી. ભગવાન શ્રીરામના નીજ મંદિર ના નિર્માણ છે ૨૫૦૦૦ રૂપિયાનું અનુદાન જોડયુ હતું.તો સૈનિક વેફર કલ્યાણ ફંડમાં બીપીન રાવતના સ્મરણાર્થે પોતે ૫૧૦૦૦ની નિધિ લખાવીને સત્કાર્યમાં પોતાનો હિસ્સો જોડયો હતો. આમ રત્નાભાઇ ઠુંમર આજે આપણી વચ્ચે રહ્યા નથી ત્યારે તેમના ચીરકાલીન કાર્યો આ સમાજને નવો રાહ ચિંધતા રહેશે અને તેમના પથ પર ચાલવા આજના યુવાનોને નવી પ્રેરણા મળતી રહેશે. ભગવાન દિવંગત રત્નબાપા ઠુંમરના આત્માને ચિર ગતી પ્રદાન કરે એવી પ્રાર્થના આજે તેમના લાખો શુભચિંતકો વ્યક્ત કરી રહ્યા છે

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top