પ્રતિનિધિ /- સતીશ વસાવા ઝગડીયા DNSNEWS
ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલા નું પૂતળું દહન કરી ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો…
ત્યારે આજરોજ ટિપ્પની મુદ્દે પુરુષોત્તમ રૂપાલા ની ઝઘડિયા તાલુકાના પ્રથમ ગામમાં ભાજપના કાર્યકરોને પ્રવેશ નહીં કરવા બેનરો લાગ્યા હતા..
અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીના નેતા પુરુષોત્તમ રૂપાલા ના નિવેદન બાદ ઠેર ઠેર તેમના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા પ્રદર્શન થઈ રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લાના મા પણ આના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હોઈ ભરૂચ જિલ્લા મા મોટી સઁખ્યા મા રાજપૂત સમાજ સમગ્ર જિલ્લા ના ગામો મા વસે છે ત્યારે આજરોજ ઝઘડિયા તાલુકાના પ્રથમ ગામમાં પુરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે બેનરો લાગ્યા હતા અને ભરૂચ જિલ્લા મા પણ વિરોધ ના વંટોળ ઉભા થતા સમાજ ના લોકો મા ઉગ્ર રોષ જોવા મળ્યો હતો .
ઝઘડિયા તાલુકાના હરીપુરા ગામના ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા ભાજપના કોઈપણ કાર્યકર્તા તેમજ આગેવાનો પુરુષોત્તમ રૂપાલા ની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી હરીપુરા ગામમાં પ્રવેશ નહીં કરવા માટે બેનરો લગાવવામાં આવ્યા હતા તો ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાનું જાહેર મા પૂતળું દહન કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તેમજ પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં નારા લાગ્યા હતા…
More Stories
જૂનાગઢના દોલતપરામાં જાહેરમાં તીન પત્તી જુગાર રમતા ત્રણ ઇસમોને જુનાગઢ પોલીસે દબોચ્યા
BREAKING NEWS. SURART સુરત શહેર અને સુરત જિલ્લામાં વધારે વરસાદના કારણે સુરત જિલ્લા કલેકટર અને T.D.O દ્વારા જિલ્લાની તમામ શાળાઓ મા સાવચેતી પગલે આવતીકાલે તારીખ 24/07/ 2024 બુધવારે રજા જાહેર કરાય છે
નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર રમણપુરા ગામના પાટીયા પાસે રોડ ઉપર ભટકતી રહેતી અજાણી અસ્થિર મગજ ની માહિલને કોઈ ક વાહન ચાલકે અડફેટે લેતા તેનુ ધટના સ્થળે જ મોત.