જૂનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાંજડીયા સાહેબ ની સુચના તેમજ ઇ.પોલીસ અધિક્ષક શ્રી ભગીરથસિંહ જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં અલગ અલગ ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓ તેમજ જેલ ફરારી કેદીઓને શોધી કાઢવા સુચન કરેલ જે સુચના અન્વયે ક્રાઈમ બ્રાન્ચના પો.ઈન્સ. શ્રી જે.જે.પટેલ સાહેબ તથા પેરોલ ફર્લો સ્કવોડના પો.સબ.ઇન્સ ડી.કે.ઝાલા સાહેબના માર્ગદર્શન અને સુચના મુજબ પેરોલ ફર્લો સ્કવોડની ટીમ જૂનાગઢ જીલ્લામાં તથા ગુજરાત રાજ્યમા જુદા જુદા પોલીસ સ્ટેશનોમા ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓ તથા જેલ ફરારી કેદીઓને પકડવા સારૂ ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલીજન્સનો ઉપયોગ કરી કાર્યરત હતા.
દરમ્યાન પેરોલ ફર્લો સ્ક્વોર્ડના પો.સબ ઇન્સ. ડી.કે.ઝાલા તથા ક્રાઇમ બ્રાન્ચના પો. સબ ઇન્સ. ડી.એમ.જલુ તથા પેરોલ ફર્લો સ્ક્વોર્ડના એ.એસ.આઇ. ઉમેશભાઈ વેગડા, પો.કોન્સ. દિપકભાઇ બડવા, દિવ્યેશ ડાભી, દિનેશભાઇ છૈયા, પ્રવિણસિંહ મોરી નાઓને સયુક્ત બાતમી હકિકત મળેલ કે, જુનાગઢ એ ડીવીજન પોલીસ સ્ટેશન ગુનો રજીસ્ટર થયેલો હતો ઇ.પી.કો.ક. મુજબના કામે સબરમતી જેલ અમદાવાદથી પેરોલ જમ્પ પર રહેલ રોહીત દેવશીભાઈ બારીયા રહે,જુનાગઢ વાળો તા.૩૦/૧૦/૨૦૨૩ થી ફરાર થયેલ હોય જે હાલ મધુરમ પોતાના ઘરે હાજર હોવાની હકીકત મળતા મજકુર ઇસમની તપાસ કરતાં મજકુર હાજર મળી આવતા પકડી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી કરવા સારુ મધ્યસ્થ જેલ, અમદાવાદ ખાતે સોપી આપવામા આવેલ છે.હસ્તગત કરેલ આરોપી રોહીત દેવશીભાઇ બોદાભાઇ બારીયા . માળીયા, બાલાજી હેરીટેજ, બ્લોક નં. ૯૦૧, મધુરમ રોડ, જુનાગઢ.
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
Khabar Ek dum Sachi
More Stories
બોડેલી મુસ્લિમ સમાજ દ્વારા વકફ સંશોધન બિલના વિરોધમાં અપાયું આવેદન
.માંડવીના જુના કાકરાપાર ગામમાં ભૂસ્તર વિભાગના દરોળા….. રેતી માફિયા ઓમાં ફંફળાટ.…..…… બે જેસીબી મશીન, એક ટ્રક સહિત રૂ.50 લાખનો મુદ્દામાલ કબજે કરાયો.
ભરૂચ જિલ્લામાં મકાનો તથા દુકાનો ભાડે આપતા માલિકોએ ભાડુઆતની વિગતો જમા કરાવવા અંગેનું અધિક જીલ્લા મેજીસ્ટ્રેટશ્રીનું જાહેરનામું