સગીરા તેની જાતે ક્યાંક ચાલી ગઇ કે પછી કોઇ અજાણ્યો ઇસમ તેનું અપહરણ કરી ગયો હોવા બાબતે ઘેરાતું રહસ્ય..!
પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા DNS NEWS
ઝઘડિયા તાલુકાના એક ગામે રહેતી એક ૧૫ વર્ષીય સગીરા કોઇને કંઇ કહ્યા વિના ઘરેથી ક્યાંક ચાલી ગઇ હોવા બાબતે પોલીસમાં ફરિયાદ લખાવા પામી હતી. પોલીસ ફરિયાદ મુજબ ગત તા.૨૩ મીના રોજ સગીરાના માતાપિતા ખેતરે ગયા હતા,અને સગીરાના દાદી પણ તેમના રોજિંદા કામે ગયા હતા. ત્યારબાદ સાંજના પાંચેક વાગ્યાના સમયે સગીરાના પિતાને જાણ થઇ હતી કે તેમની દિકરી કોઇને કંઇ કહ્યા વિના ઘરેથી ક્યાંક ચાલી ગઇ હતી.
ત્યારબાદ સગીરાના પરિવારજનોએ સગા સંબંધીઓને ત્યાં તેમજ અન્ય સ્થળોએ તેને શોધવા છતાં તેની કોઇ ભાળ મળી નહતી.
સગીરા તેની મેળે કોઇને કંઇ કહ્યા વિના ઘરેથી જતી રહી હતી કે પછી કોઇ અજાણ્યો ઇસમ તેનું અપહરણ કરીને લઇ ગયો હોવા બાબતે રહસ્ય સર્જાયું હતું. ઘટના સંદર્ભે સગીરાના પિતાએ પોતાની દિકરી ઘરેથી ક્યાંક જતી રહેલ હોવા બાબતે પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે આ બાબતે કાયદેસર તપાસ હાથ ધરી હતી.
More Stories
નેત્રંગ ખાતે પ્રાંત અધિકારીની અઘ્યક્ષતામાં ચાંદીપુરા વાયરસને લઈને બેઠક યોજાઈ.
રાજય સરકાર દ્રારા SHODH યોજના હેઠળ. ભરૂચ જીલ્લા ના ૮ પોલીસ સ્ટેશનમા ૮ પીઆઇ અને ૬ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમા એ.એસ.આઇ. ૬ તેમજ ૧૦ પીએસઆઇ મળી કુલ્લે ૨૪ નવી નિમણૂંક થશે.
* નેત્રંગ પો.સ્ટેશનમાં પીઆઇ કક્ષાના અધીકારીની નિમણુંક કરાશે