જૂનાગઢ ના વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિ-ના સભ્યો સુરેશભાઈ સાદરાણી,નયનભાઈ જોશી,તથા ધર્મેશભાઈ વિરાણી તરફથી વિસાવદર શહેર તથા તાલુકાની જનતા માટે સબવાહીની ખરીદ કરવા માટે છેલ્લા એકાદ માસથી પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે તેની જાણ વિસાવદરના જીવાપરા વિસ્તારના યુવા કાર્યકર ઉદયભાઈ મહેતાને થતા તેઓએ પ્રથમ તો રાજકોટ સ્થિત કાનભાઈ કાનગડ ને કરી તેમના તરફથી રૂપિયા ૨૧,૦૦૦/- ફાળો અપાવેલ ત્યારબાદ આ બાબતની જાણ બ્રહ્મ સમાજના વયોવૃદ્ધ વડીલ અને માડાવડ ગામના રાજગોર સમાજના પ્રભાશંકર બાપાને થતા તેઓએ એક પણ રૂપિયાની માગણી કર્યા વગર સામેથી બોલાવી રૂપિયા ૫૧,૧૧૧/- રૂપિયા બોલાવીને આપેલ હતા અને જ્યારે જ્યારે આર્થીક જરૂરિયાત ઉભી થાય ત્યારે વિના સંકોચે યાદ કરી સેવાની તક આપવા કાર્યકરોને જણાવેલ ત્યારબાદ ફરીથી આ અંગેની જાણ જુનાગઢ ના સાંસદ રાજેશભાઇ નારણભાઇ ચુડાસમાને ઉદયભાઈ મહેતા દ્વારા કરાતા બન્ને તરફથી આજરોજ રૂપિયા ૨૧,૧૧૧/- આપવાની જાહેરાત કરાતા ગણપતિ ઉત્સવ સમિતિ દ્વારા જુનાગઢ ના સાંસદ રાજેશભાઇ નારણભાઇ ચુડાસમાને ઉદયભાઈ મહેતાનો આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
મકાન ભાડે આપી જાહેરનામાનો ભંગ કરનાર નેત્રંગ તાલુકાના ત્રણ મકાન માલિકો સામે ગુનો નોંધાયો. તાલુકાના ગામે-ગામ પ્રરપાંતીય દુકાનધારકો છે. નેત્રંગ નગર સહિત ગામે-ગામ પોલીસ દ્રારા જાહેરનામાના ભંગ બાબતે કડક કાર્યવાહી હાથ ધારવામા આવી
મોપેડની ડીંકીમા દારૂ લાવતા કંબોડીયાના બુટલેગરને પોલીસે ઝડપી લીધો. કુલ્લે રૂપિયા ૩૭૫૦/= નો દારૂ જપ્ત.
.*માંડવીની 16 વર્ષીય સગીરાને બિભત્સ મેસેજ કરનાર આરોપીને લાજપોર જેલ માં મોકલવાનો કોર્ટેનો હુકમ.*.*હિન્દુત્વ સંગઠનનો ઝંડો લઈને ફરતા પ્રિતેશ શાહે કરેલ કૃત્યને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.*