જૂનાગઢના ભેસાણના કરિયા ગામમાં શ્રી રામજી મંદિરે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરાય

Share to


ભેસાણ તાલુકાના કારિયા ગામે રામજી મંદિર માં પવિત્ર કૃષ્ણ જન્મ જયંતીની ઉજવણીમાં રામજી મંદિરના પૂજારી ભરત બાપુ ટિલાવત અને હજારોની સંખ્યામાં ગ્રામજનો દ્વારા ભાવભર ઉજવણી કરવામાં આવી હતી
જેમાં નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી ના નાથ સાથે ગામ આખું ગુંજી ઉઠ્યું હતું ભગવાન શ્રીકૃષ્‍ણ શ્રાવણ સુદ આઠમે જન્‍મ્‍યા હતા. તેની ઊજવણીના ભાગરૂપે વર્ષોવર્ષ જન્‍માષ્‍ટમીનું પર્વ મનાવાય છે. ભગવાન શ્રીકૃષ્‍ણ નો નંદ-યશોદાને ઘરે ઉછેરવા કરવામાં આવ્‍યાં હતો અને. ગોકુળમાં ભગવાન શ્રીકૃષ્‍ણે તેમની બાળ લીલાઓ કરી હતી. ભગવાન શ્રીકૃષ્‍ણ હિન્‍દુ ધર્મની આસ્‍થાનું પ્રતિક છે. જે હજારો વર્ષ પછી પણ તે આજે અડગ રહ્યું છે.કારિયા ગામ માં પરંપરાગત રીતે કૃષ્‍ણભક્તો . આઠમની મધ્‍યરાત્રીએ કૃષ્‍ણ જન્‍મોત્‍સવની ઉજવણી કરીને ‘દહી’ હાડી ફોડવાનાના કરતબો યુવાન એ કર્યા હતા. જેમાં ખૂબ જ ઊંચાઇ પર જાહેરમાર્ગ પર મટકી લટકવા માં આવે છે મટકીની ઊંચાઇએ પહોંચી તેને ફોડવાના પ્રયાસો કરી યુવાનો આનંદ લૂંટે છે. મટકી ફોડીને ઉમંગ થી તેહવાર ઉજવવામાં આવ્યો હતો ગામના મુખ્ય ચોકમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to