Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

વણખુટા ગામે દીપડાએ નવ વર્ષીએ બાળકને ફાડી ખાધા ની ઘટનામાં પરિવારને ૧૦ લાખ સુધીનું વળતર આપવાની માંગણી કરી..

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા 05-09-23
વધતા જતા હિંસક પશુઓના હુમલાઓના કારણે આદિવાસી વિસ્તારમાં આદિવાસી ખેડૂતોને સ્વરક્ષણ માટે હથિયારનો પરવાનો આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

હિંસક જાનવરોની સામે રક્ષણ માટે જનજાગૃતિ યોજી જાણકારી આપવાની માંગ કરી છે.

ઝઘડિયા વન વિભાગ ના રેન્જ વિસ્તારમાં અને નેત્રંગ તાલુકા ના વણખુટા ગામે ગત સપ્તાહે કુદરતી હાજતે ગયેલા નવ વર્ષીય બાળકને દીપડાએ હુમલો કરી તેને ફાડી ખાવાની ઘટના બની હતી, જેના સંદર્ભમાં ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના ના ઝઘડિયા વાલિયા અને નેત્રંગ તાલુકાના કાર્યકરોએ આજરોજ મુખ્યમંત્રી ને સંબોધી એક આવેદનપત્ર પ્રાંત અધિકારી ઝઘડિયાને પાઠવી હિંસક પ્રાણીઓના હુમલાઓ સામે રક્ષણ માટે હથિયારોનો પરવાનો તેમજ હુમલાઓ બાબતે જનજાગૃતિના કાર્યક્રમ યોજવાની માંગણી કરી છે. ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના દ્વારા પોતાના આવેદનપત્રમાં જણાવાયું છે કે નેત્રંગ તાલુકાના વણખુટા ગામે કુદરતી હાજતે ગયેલા નવ વર્ષીય સાલૈયા કુમાર દેવેન્દ્રભાઈ વસાવાને દીપડો ત્યાંથી ખેંચી જઈ તેનું મોત નીપજાવ્યું હતું, જેના સંદર્ભમાં તેમણે જણાવ્યું હતું કે દીપડાના હુમલાનો ભોગ બનનાર પરિવારને ઓછામાં ઓછું ૧૦ લાખ રૂપિયાનું વળતર તાત્કાલિક અસરથી મળવું જોઈએ, પરિવારમાંથી એક વ્યક્તિને સરકારી નોકરી મળવી જોઈએ, આદમખોર દીપડાને તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ કરી ઝડપી લેવામાં આવે જેથી વધુ લોકો પર હુમલા થાય નહીં,

આદિવાસી સમાજને સ્વરક્ષણ માટેના હથિયારના પરવાના આપવામાં આવે, હિંસક જાનવરોથી બચવા માટે જનજાગૃતિની શિબિર યોજી જાણકારી આપવામાં આવે, હિંસક જાનવરોથી ભોગ બનેલાના વળતરના બાકી કેસ હોય તેનો તાત્કાલિક અસરથી વળતર મળે તે માટે કાર્યવાહી કરવા જણાવ્યું છે, વધુમાં તેમણે જણાવ્યું છે કે આદિવાસી સમાજ મોટાભાગે જંગલ વિસ્તારમાંજ વસવાટ કરે છે અને આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી પોતાની સુરક્ષા માટે પાકા સગવડવાળા મકાનો નથી બનાવી શકતા કે જેમાં સંડાસ બાથરૂમ હોય અને મકાનની ચારે બાજુ પાકો કોટ હોય, પોતાની આજીવિકા માટે ખેતી, ખેત મજૂરી ઢોર પાળવા જેવા કામો બહાર સીમમાં અથવા જગ્યામાં જવું પ‌ડે‌‌ છે, કેટલાક વર્ષોથી જંગલો હિંસક જાનવરો અવારનવાર હુમલા કરી રહ્યા છે, બકરા વાછરડા ઉપર હુમલા થઈ રહ્યા છે પરંતુ હવે તો માણસો પણ હિંસક પશુઓ હુમલા કરી રહ્યા છે, જેથી તેમણે આ આવેદનપત્રમાં કરેલી માંગણીનું તાત્કાલિક અસરથી અમલ થાય તેમ જણાવ્યું છે.


Share to
Satish vasava from jhagadiya work at durdrshinews PVT LTD, bureau chief BHARUCH district...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top