ભરૂચ જિલ્લાના વાલિયા ગામમાં આવેલ એગ્રી કલ્ચર બેન્કના બ્રાન્ચ મેનેજર હાર્દિક પટેલ નામના ઇસમે સોશ્યલ મીડિયામાં આદિવાસી સમાજને ટાર્ગેટ કરી જાતિ વિષયક ટિપ્પણી કરતાં આદિવાસી સમાજ રોષે ભરાયો હતો અને આજ રોજ સુરત,ભરુચ અને અંકલેશ્વર રાજપીપળા સહિતના જિલ્લાઓમાથી મોટી સંખ્યામાં આગેવાનો વાલિયા ખાતે આવી પહોંચ્યા હતા.જ્યાં વાલિયા આદિવાસી સમાજના આગેવાનો સાથે ભેગા મળી ગામના ચાર રસ્તા ઉપર આવેલ બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભારે સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી એગ્રી કલ્ચર બેન્ક ખાતે પહોંચી આગેવાન રાજુ વસાવા,ચંપક વસાવા,વિજય વસાવા,રાજ વસાવા,હેમેન્દ્ર કોઠીવાલા,રજની વસાવા તેમજ ફતેસિંગ વસાવા.ધનરાજ વસાવા સહિતના સભ્યોએ બ્રાન્ચ મેનેજર વિરુધ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.અને વાલિયા પોલીસ મથકના પી.આઈ કે.એમ વાઘેલાને આવેદન પત્ર આપી ત્વરિત ટિપ્પણી કરનાર ઈસમ સામે પગલાં લઈ કડક રાહે કાર્યવાહી કરવાની માંગ કરી છે.સાથે વારંવાર આદિવાસી સમાજના યુવાનો ઉપર ફાયરિંગ અને ટિપ્પણી કરવાની ઘટના દિન પ્રતિદિન વધી રહી છે.જેને ગંભીરતાથી લેવા સાથે જવાબદારો સામે પગલાં ભરવા માંગણી કરી છે જો પગલાં નહીં ભરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.તો ભાજપના ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચાના મંત્રી શાંતિલાલ વસાવા,શિક્ષણ સમિતિના ચેરમેન અલ્પેશ વસાવા સહિતના આદિવાસી સમાજના સભ્યોએ આદિવાસી સમાજની લાગણી દુભાવી યુવાનને અપશબ્દો લખી ધમકી આપી આદિવાસી સમાજને ચેલેન્જ કરી વાતાવરણ દોહળાવવાનું પ્રયાસ કરતા આદિવાસી સમાજમાં આ ઇસમ વિરુદ્ધ રોષ ફેલાઈ જવા પામ્યો છે.ત્યારે આ ઇસમની પોલીસ તાત્કાલિક એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધે તે માટે અરજીરૂપી ફરિયાદ નોંધાવી છે.
More Stories
જુનાગઢ સીવીલ હોસ્પીટલમાં ચાલુ ફરજમાં ડોકટર ઉપર થયેલ હુમલાના આરોપીને સાથે રાખી બનાવ સ્થળનુ રી-કંટ્રકશન કરીને જુનાગઢ પોલીસે ગુન્હા સબંધે ઉંડાણપુર્વક તપાસ હાથ ધરી
ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકામાં અત્યંત ભારે વરસાદ ને કારણે દાજીપુરા ગામ આવેલ ચેક ડેમ પાણી મા તણાઈ જતા ગ્રામજનો માટે સમસ્યા સર્જાવા પામી છે…
ભરૂચમાં સાપ કરડ્યા પછી બાળકને હોસ્પિટલના બદલે ભૂવા પાસે લઈ જવાતા મોત