October 15, 2024

ઝગડીયા તાલુકાના જુનાપોરા ગામના પશુપાલકનું મગરના હુમલામાં મોત…

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા 19-08-23

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના જૂનાપોરા ગામના ૫૦ વર્ષીય પશુપાલક વિનુભાઈ સનાભાઈ વસાવા નું મગરના હુમલામાં મોત થતા સમગ્ર પંથક માં આરેરાટી વ્યાપી જવા પામી છે..

રાજપારડી પોલીસ મથક માંથી મળતી માહિતી મુજબ ઝઘડિયા તાલુકાના જૂનાપોરા ગામના પશુપાલક વિનુભાઈ શનાભાઈ વસાવા ગામ નજીક નર્મદા નદીના કિનારે પશુઓ ચરાવવા ગયા હતા જે સમયે નદીમાંથી

પશુઓ જલ્દી બહાર નહિ આવતા વિનુભાઈ પશુઓને બહાર કાઢવા નદીમાં ઉતર્યા હતા તે સમયે નદીમાં અચાનક એક મહાકાય મગરે વિનુ ભાઈને પગમાંથી પકડી લઈ પાણીમાં ખેંચી જતા તેઓએ બૂમાબૂમ કરતા નજીકમાં રહેલ ખેત મજુરો ત્યાં દોડી આવ્યા હતા અને આ વ્યક્તિને મગરના મુખમાંથી છોડાવ્યા હતા જ્યાંથી તેઓને બેભાન હાલતમાં 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકના અવીધા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા ત્યાં હાજર તબીબે વિનુભાઈ ને મૃત જાહેર કર્યા હતા , આ બનાવ અંગે સ્થળ પર હાજર ગામના નિલેશ વસાવા દ્વારા રાજપારડી પોલીસ મથક માં ફરિયાદ લખાવી હતી..


Share to

You may have missed