ઝઘડીયા જીઆઇડીસીની NCTL ની પાઇપ લાઈનમાં અનેક વાર ભંગાણ સર્જાતા NCTL ની કામગીરી ઉપર સવાલો ઉભા થયા છે.
પ્રતિનિધિ / સતીશ વસાવા 02-08-2023
ઝઘડીયા જીઆઇડીસીમાં કેટલીક વાર પ્રદુષિત હવા , ઘન કચરો, પ્રદુષિત પાણી સંગ્રહ કરવામાં આવે છે આવા પ્રદુષિત પાણી વરસાદી કાંસ વાટે ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલ કેમિકલયુક્ત પાણી જાહેરમાં છોડવાની ઘટનાઓ ઘણી વખત બનતી રહે છે,.. ત્યારે આજરોજ ઝઘડીયા જીઆઇડીસીમાં આવેલ NCTL ની પ્રદુષિત પાણીની લાઈન જે NCTL ના સંપ સુધી જોડે છે, તે લાઈનમાં ભંગાણ સર્જાયું હતું.આ ભંગાણ ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલ KLJ કંપની નજીક થી પસાર થતી લાઈન માં જોવા મળ્યું હતું સંપ સુધી જતી પ્રદુષિત પાણીની લાઈનમાં મોટાપાયે લીકેજ જોવા મળતા પસાર થતા લોકોમાં ભય પેદા થયો હતો
અને લોકો એ તેનાથી દુરી બનાવી રાખી હતી લીકેજ થયાને કલાકો વીતવા છતા NCTL ને આ વિશે જાણ ન હોઈ તેમ તેનું સમારકામ હાથ ધરવામાં આવ્યું ન હતું.NCTL કંપનીની આ બેદરકારી ના કારણે આ લાઈનમાં લીકેજ થયેલ પ્રદૂષિત પાણી જાહેરમાં વરસાદી કાંસમાં વહી રહ્યું હતું અને વરસાદી કાંસ થકી તે નજીકની ખાડીમાં તથા ખાડી વાટે નર્મદા સુધી પહોચી સકે છે.લાપરવાહ NCTL ના સંચાલકો દ્વારા કલાકો બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ઉપરાંત જીઆઇડીસીની મોનીટરીંગ ટીમે પણ આ બાબતે કોઈ કાર્યવાહી હાથ ધરી નથી એમ સ્થાનિકો દ્વારા જણાવાયુ હતું ઉદ્યોગો નું પ્રદુષિત પાણી ખાડી અને નર્મદા સુધી પહોચતા તેના વચ્ચે અનેક ગામો અને અસંખ્ય ખેતરો તળાવો આવેલા હોય છે જેથી આવા લીકેજમાંથી પ્રદુષિત પાણી સાફ પાણી માં ભડતા ખાડી અને નદી ના જળચર પ્રાણી અને પશુઓના જીવ સામે ખતરો ઉભો થવાની દહેશત વર્તાઇ રહી છે
અગાઉ પણ આ પ્રકારે ઝગડીયા GIDC નું પ્રદુષિત પાણી ખાડી કોતરો માં ભડતા અસંખ્ય માછલીઓ ના જીવ ગયા છે ત્તયારે આ લીકેજ લાઈન ને જલ્દીથી રિપેર કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે
More Stories
સામાજિક ઉત્તરદાયિત્વ અંતર્ગત ઝેડ સી એલ કેમિકલ લિમિટેડ અંકલેશ્વર ના સૌજન્ય અને સેવા રૂરલ ઝઘડિયા દ્વારા ભમડિયા ખાતે આંખ તપાસ ઓપરેશન નો કેમ્પ યોજાયો
ગુજરાત માં સંસ્કૃત ગૌરવ પરીક્ષા ૯ તારીખે યોજાશે.જેમાં ગુજરાતના ૭3૬ કેન્દ્ર પરથી ૭૮૬૪૭ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે.
જિલ્લાના ખેડૂતોને પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવા માટે સહાય આપવાની યોજના