Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

ઉત્તરપ્રદેશમાં વધુ એક એન્કાઉન્ટરઉત્તરપ્રદેશમાં ગેંગસ્ટર અનિલ દુજાના યૂપી જી્‌હ્લના એનકાઉન્ટરમાં માર્યો ગયો

Share to


(ડી.એન.એસ)ઉત્તરપ્રદેશ,તા.૦૫
ગેંગસ્ટર અનિલ દુજાનાને યૂપી એસટીએફે અથડામણમાં ઠાર કરી દીધો છે. થોડા સમય પહેલા યૂપીના ટોપ ૬૫ માફિયાઓનું લિસ્ટ યૂપી સરકારના કાર્યાલયમાંથી જારી કરવામાં આવ્યું હતું. તેમાં ગ્રેટર નોઇડાના અનિલ દુજાનાનું નામ પણ સામેલ હતું. કુખ્યાત અનિલ દુજાના છેલ્લા ઘણા સમયથી દિલ્હીની તિહાડ જેલમાં બંધ હતો, પરંતુ તે જામીન પર બહાર હતો. જેલમાંથી બહાર આવતા અનિલ દુજાનાએ જયચંદ પ્રધાન મર્ડર કેસમાં તેની પત્ની અને સાક્ષી સંગીતાને ધમકી આપી હતી. ત્યારબાદ ઉચ્ચ અધિકારીઓએ પગલા ભરતા અનિલ દુજાના વિરુદ્ધ પાછલા સપ્તાહે બે કેસ દાખલ કર્યા હતા. દુજાનાની ધરપકડ માટે નોઇડા પોલીસની સ્પેશિયલ સેલ ટીમ અને એસટીએફની ટીમ લાગી હતી. જાણવા મળી રહ્યું છે કે છેલ્લા કેટલાક દિવસમાં ૭ ટીમોએ ૨૦થી વધુ સ્થળો પર સતત દરોડા પાડ્યા હતા. અનિલ દુજાના પર ઉત્તર પ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં લગભગ ૫૦ હત્યા, ખંડણી સહિતના ગુનાઓના કેસ દાખલ છે. બાદલપુરનું દુજાના ગામ ક્યારેક કુખ્યાત સુંદર નાગર ઉર્ફે સુંદર ડાકૂના નામથી જાણીતું હતું. ૭૦-૮૦ના દાયકામાં સુંદરનો દિલ્હી-એનસીઆરમાં ડર હતો. તેણે તત્કાલીન પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીને પણ જાનથી મારવાની ધમકી આપી હતી. આ દુજાના ગામનો છે અનિલ નાગર ઉર્ફે અનિલ દુજાના. પોલીસ રેકોર્ડમાં ૨૦૦૨માં ગાઝિયાબાદના કવિ નગર પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ હરબીર પહેલવાનની હત્યાનો કેસ દાખલ થયો હતો. ઉત્તર પ્રદેશમાં થયેલા એનકાઉન્ટરમાં હવે ગેંગસ્ટર અનિલ દુજાનાનું નામ પણ જાેડાઈ ગયું છે. એપ્રિલમાં ઉમેશ પાલ હત્યાકાંડમાં આરોપી અસદ અને તેના સહયોગી ગુલામ બંને એનકાઉન્ટરમાં ઠાર થયા હતા. આ એનકાઉન્ટર બાદ યૂપીમાં રાજકીય નિવેદનબાજી જાેવા મળી હતી.


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top