દીપડાના બે શિશુ માતા ક્યાંક દૂર ખોરાક માટે જતી રહેતા બે બાળ શિશુ છેલ્લા ત્રણ દિવસથી માતા વિના..
ઝગડીયા તાલુકાના સીયાલી ગામે રહેતા એક ખેડૂત ના શેરડી ના ખેતરમાં ખેડૂત ને બે નવજાત દીપડા ના બચ્ચા દેખા દેતા તેને ઝગડીયા વનવિભાગ ને જાણ કરી હતી.. જેથી ઝગડીયા વનવિભાગ સ્થળ ઉપર પોહચી નવજાત શિશુ ને વનવિભાગ ની કચેરી ઉપર લાવી તેઓ ને દૂધ પીવડાવ્યું હતું જે બાદ સતત વનવિભાગ ના કર્મચારીઓ દ્વારા તે દીપડી ને શોધવાની કાવાયત હાથ ધરવામાં આવી હતી પરંતુ છેલ્લા ત્રણ દિવસ થી બચ્ચા ને શેરડી ના ખેતર માં તેઓ ના સ્થાન ઉપર છોડી દીપડી ની રાહ જોવાઈ રહી છે અને પરિવાર નો મેળાપ થવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે પરંતું તેઓની માતા ક્યાંક દૂર ખોરાક ની શોધ માં જતી રહી હોઈ તેમ તેનો હજુ કોઈ પત્તો મળ્યો નથી જે બાદ વનવિભાગ પણ આ શિશુઓ ને ઝગડીયા કચેરી ખાતે લાવી તેઓ ને દૂધ પીવડાવી તેની સંભાળ રાખે છે અને બેવ નવજાત શિશુ હાલ સ્વસ્થ છે..
ત્યારે વનવિભાગના કર્મચારીઓ તેની માતા ને સીયાલી ગામ અને તેની આજુબાજુ ના વિસ્તારમાં ખોરવાના પ્રયત્નો પણ હાલ ચાલુ છે ત્યારે હવે આ શિશુ ની માતા જલદીથી મળી જાય તો દીપડા ના બચ્ચા તેના માં પાસે વનવિભાગ મૂકી તેઓ નો મિલાપ કરાવે તેવી લોકો ને આશા સેવી રહ્યા છે …
More Stories
નેત્રંગ ખાતે પ્રાંત અધિકારીની અઘ્યક્ષતામાં ચાંદીપુરા વાયરસને લઈને બેઠક યોજાઈ.
રાજય સરકાર દ્રારા SHODH યોજના હેઠળ. ભરૂચ જીલ્લા ના ૮ પોલીસ સ્ટેશનમા ૮ પીઆઇ અને ૬ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમા એ.એસ.આઇ. ૬ તેમજ ૧૦ પીએસઆઇ મળી કુલ્લે ૨૪ નવી નિમણૂંક થશે.
* નેત્રંગ પો.સ્ટેશનમાં પીઆઇ કક્ષાના અધીકારીની નિમણુંક કરાશે