ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સુલતાનપુરા ગામે ખેતરમાં કચરો સળગાવવાની બાબતે એકજ પરિવારના સભ્યો વચ્ચે ઝઘડો થતાં બે ઇસમો સામે પોલીસમાં ફરિયાદ લખાવવામાં આવી હતી. ઝઘડિયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ સુલતાનપુરા ગામે રહેતા કવલસિંહ જયેન્દ્રસિંહ રાઠોડે તેમના ખેતરમાં જમરૂખની બાગાયતી ખેતી કરેલ છે. ગત તા.૧૬ મીના રોજ કવલસિંહના કાકા મહેન્દ્રસિંહ રાઠોડ તેમજ પિતરાઇ ભાઇ કુલદિપસિંહ રાઠોડ તેમના ખેતરમાં શેરડી કાપણીનો કચરો સળગાવતા હતા. ત્યારે કવલસિંહે તેમને કહ્યું હતુંકે મારી જમરૂખી પર ફુલ આવેલા છે
તેમજ કેટલીક જમરૂખી પર ફળ પણ આવેલા છે. તેને નુકશાન ના થાય તેનું ધ્યાન રાખજો. આ સાંભળીને તે લોકો ગાળો બોલવા લાગ્યા હતા. અને કહેવા લાગ્યા હતાકે અમારું આવુંજ ચાલશે, તારે ચોવટ કરવી નહિ. તું સુધરી જજે નહિતો તારા ટાંટીયા તોડી નાંખીશ. શેરડીનો કચરો સળગાવવાથી આઠેક જેટલી જમરૂખીને આગની ઝાળ લાગી હતી. આને લઇને કવલસિંહને રુ.પાંચેક હજાર જેટલું નુકશાન થયું હતું. આ સંદર્ભે કવલસિંહ જયેન્દ્રસિંહ રાઠોડ રહે.ગામ સુલતાનપુરા તા.ઝઘડિયા જિ.ભરૂચનાએ મહેન્દ્રસિંહ સાધનસિંહ રાઠોડ તેમજ કુલદિપસિંહ મહેન્દ્રસિંહ રાઠોડ બન્ને રહે.ગામ સુલતાનપુરા તા.ઝઘડિયાના વિરુધ્ધ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવી હતી.
રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા
#DNSNEWS
More Stories
જૂનાગઢ ના કેયુરભાઈ રાવલની રૂ. ૭,૫૦૦/- ની કિંમતની I20 ફોરવ્હીલની ચાવી ખોવાતા સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા પોલીસ દ્રારા તાત્કાલીક શોધીને અરજદારને પરત કરી
પોરબંદર જીલ્લા રાણાવાવ તાલુકાના વડવાળા તુંબળતોલનેશ ”પ્રોહી બુટલેગર” રામા મુળુભાઈ ચાવડા ને પાસા ડાયદા હેઠળ સેન્ટ્રલ જેલ, લાજપોર, સુરત ખાતે ધડેલતી જુનાગઢ, કાઈમ બ્રાન્ચ
સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ દેડિયાપાડામાં વિકાસ સપ્તાહ અંતર્ગત આયકોનિક સ્થળ મુલાકાતનું તા. 11/10/2024ના રોજ આયોજન કરવામાં આવ્યું