Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

રાજપીપળા-રામગઢ પુલ ઉપર પડેલી તિરાડ મા રાત્રી ના અંધકાર બાઈક સવાર પટકાતા બેભાન:-108 દ્વારા રેસ્ક્યુ કરાયો

Share to

રામગઢ તરફ થી આવતા વાહનો ને અટકાવવા માટે બેરીકેડિંગ કે સાઈન બોર્ડ નું અભાવ કોઈનું ભોગ લે તો નવાઈ નહીં

પ્રતિનિધિ રાજપીપળા:૭ જૂન ૨૦૨૧

તારીખ 6-6-2021 ના રોજ રાત્રી ના 11 ના સુમારે અંધકાર મા રામગઢ થી રાજપીપળા તરફ આવી રહેલા અજાણ્યા બાઈક સવાર યુવાન ને રામગઢ ના પુલ ની વચ્ચે ખોદી નાખેલી આડી નીક મા બાઈક ખાબકતા બાઈક સવાર યુવાન ઊંધા માથે પટકાયો હતો, અને દૂર સુધી ઘસડાઈ જઈ બેભાન બની ગયો હતો. અકસ્માત નો અવાજ આવતા પુલ ઉપર બેસેલા કેટલાંક યુવાનો દોડી આવ્યા હતાં અને ઇજા ગ્રસ્ત યુવાન ને ઢંઢોળવા નો પ્રયત્ન કરતા યુવાન બેભાન જેવી હાલત મા જતો રહ્યો હતો. બાઈક સવાર યુવાન ને હાથ અને માથા મા ગેબી માર વાગ્યો હોવાનું જણાય રહ્યું હતું. એ અરસામાં પરિસ્થિતિ ને જોતા કોકે 108 ને ફોન કરી દીધો હતો. કેટલીક વાર બાદ યુવાન એ સળવળાટ કર્યો હતો અને પાણી પીવડાવતા બેઠો થયો હતો. ત્યારે 108 આવી જતા ઇજા પામેલ અજાણ્યા યુવાન ને લઈ ને રવાના થઈ ગઈ હતી. આ બનાવ બાબતે માર્ગ અને મકાન વિભાગ ના સનલગ્ન અધિકરી સાથે ટેલિફોનિક સંપર્ક કરાતા “મારી બદલી થઈ ગઈ છે” તેમ જણાવી વાત ટૂંકાવી દીધી હતી.


તાજેતર માંજ કરોડો ના ખર્ચે બનેલા આ પુલ ના વચ્ચે નો સ્લેબ બેસી જતા તિરાડો પડવા માંડી હતી અને ભયજનક બનતા લોકો નું વાહન વ્યવહાર અટકાવી દેતા બોર્ડ મારી દેવાયા હતા, અને રીપેરીંગ કામ શરૂ કરાયું હતું પણ તિરાડો ને વધુ પોહળી કરી ખોદી નાંખ્યા બાદ સ્લેબ ના સળીયા ભયજનક રીતે ઉભા કરી દઈ એવીજ હાલત મા ત્યજી દઈ મજૂરો જતા રહેતા લોકો ના જોખમ મા ઔર વધારો થયો હતો. ઉભા કરી મુકેલા સળીયા કોઈના પગ મા ઘુસી જાય તેવા ભયજનક હતા. રાજપીપળા બાજુ થી વાહન ચાલકો ને અટકાવતા બેરીકેડિંગ મુકાયું પણ રામગઢ તરફ થી આવતા વાહનો ને અટકાવવા માટે કોઈ ચેતવણી દર્શાવતું બોર્ડ કે બેરીકેડિંગ મુકાયું નથી જેથી રાત્રિ ના સુમારે કેટલાક વાહન ચાલકો અજાણતા માં છેક પુલ ના તૂટેલા ભાગ સુધી આવી જાય છે અને અચાનક તૂટેલો રોડ દેખાતા ચમકી ને રોકાઈ જાય છે. માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ ની નિષ્કાળજી કોક નું ભોગ લેશે તેમ લાગી રહ્યું છે.

રાજપીપળા-રામગઢ ને જોડતા પુલ ને હજી બન્યા ના 6 મહિના ની અંદરજ સ્લેબ મા તિરાડો પડી ફાટી જતા ગુણવત્તા મા ખામી અને બાંધકામ મા ભ્રષ્ટાચાર થયો હોવાની ચાડી ખાતા પુરાવા ઉપસી આવ્યા હતાં, પબ્લિક ના ટેક્ષ ના પૈસા માંથી બનાવાયેલો આ પુલ શરૂઆત થીજ ભારે વિવાદો મા રહ્યો છે. પ્રજા ની કોઈ પણ જાત ની માંગ ન હોવા છતાં આ પુલ કોના લાભ માટે બનાવાયો છે અને પ્રજા ના કરોડો રૂપિયા કેમ ખર્ચાયા ? એ અલગ ચર્ચા નો વિષય છે. આ પુલ ની ઉપયોગીતા વિશે ભરૂચ જિલ્લાના સાંસદ અને રાજપીપળા મા રહેતા મનસુખ વસાવા શંકા જતાવી ચુક્યા છે. પ્રમાણિક રીતે ગુણવત્તા અને બાંધકામ મા વપરાયેલા મટીરીયલ ની તપાસ થાય તો ચોક્ક્સ ભ્રષ્ટાચાર ના પુરાવા મળે તેવી શકયતા નકારી શકાય નહિ


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top