Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
જયગુરૂદેવ આશ્રમ મથુરાના રાષ્ટ્રીય ઉપદેશક શ્રી સતિષચંદ્ર સાહેબ  આજે  પઠાર ખાતે આધ્યાત્મિક સંત્સગ કરશે.
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….

સ્વછતા હી સેવા અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ પ્રમાણ પત્ર આપી સન્માન કરવામાં આવ્યું

Share to

વાગરા તાલુકાના અરગામા ગ્રામ પંચાયતના તલાટીને ભરૂચના ધારાસભ્યના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માન કરાયું

ભરૂચ ખાતે જિલ્લા કક્ષાના સ્વચ્છતા કાર્યક્રમમાં વિવિધ સંસ્થાઓનું પણ સન્માન કરાયું

ભરૂચની જે.પી.કોલેજના ઓડિટોરિયમ ખાતે કાર્યક્રમ યોજાયો

સાગબારા તારીખ 4,10,24

ભરૂચ લોકસભામાં સ્વચ્છ ભારત મિશન શહેરી અને ગ્રામીણ ના સહિયારા ઉપક્રમે સ્વચ્છતા હી સેવા હે નો કાર્યક્રમ ભરૂચની જે.પી.કોલેજના ઓડિટોરિયમ ખાતે ભરૂચ સાંસદ મનસુખ વસાવા ,ભરૂચ ના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા,જિલ્લા કલેક્ટર ડો.તુષાર સુમેરા,ડીઆરડીએના નૈતિકા પટેલ સહિતના અધિકારીઓની અને ભાજપના પદાધિકારીઓની ઉપસ્થિતિ વચ્ચે યોજવામાં આવ્યો હતો.
જિલ્લા કલેકટર દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત સમગ્ર જિલ્લામાં થઈ રહેલી સ્વચ્છતાની કામગીરી ની રૂપરેખા વર્ણવી હતી.અને સ્વચ્છતા અભિયાન માં જોડાવા માટે લોકોને અપીલ કરી હતી. ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ સ્વચ્છતા પર ભાર મૂક્યો અને ગાંધીજીના વિચારોથી વરેલી સંસ્થા ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ ખાતેના પોતાના અભ્યાસકાળના અનુભવો ને વાગોળયા હતા.
ત્યારે વાગરા તાલુકાની અરગામા ગ્રામ પંચાયતના તલાટી સુસમાબેન દલસુખભાઈ વસાવા અને સરપંચ ને સ્વછતા હી સેવા અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ પ્રમાણ પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.સમગ્ર ભરૂચ જિલ્લામાં અરગામા ગ્રામ પંચાયત સ્વચ્છતા બાબતે બીજા ક્રમે રહી હોય ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે તલાટી સુસમાબેન દલસુખભાઈ વસાવાને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.ભરૂચ ખાતે સ્વચ્છ ભારત મિશન ને અનુલક્ષીને શહેરી,ગ્રામીણ જીલ્લા, તાલુકા કક્ષાએ સ્વચ્છતા માટે સ્વચ્છતા હી સેવા હે 2024 નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છેકે આ અરગામા ગ્રામ પંચાયતના તલાટી સુસમાબેન દલસુખભાઈ વસાવા નર્મદા જિલ્લાના સાગબારા ખાતેના વતની છે.અને ગત મહિને શિક્ષક દિને વડોદરા જિલ્લામાં જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે જેમને એવોર્ડ આપવામાં આવ્યો તે સાવલી આદર્શ નિવાસી શાળામાં ફરજ બજાવતા પારુલબેન દલસુખભાઈ વસાવા ના મોટા બહેન થાય છે. તેમના પિતા દલસુખભાઈ ડી.વસાવા જિલ્લા પંચાયત બાંધકામ શાખામાં વર્ષો સેવા આપી નિવૃત્ત થયા છે. પોતાની ફરજ કઇ રીતે અને કેવીરીતે નિષ્ઠા પુર્વક નિભાવવી તે બને બહેનોએ પોતાના પિતા પાસે થી શીખ મેળવી છે. અને બંને બહેનોએ પોતાના પિતાનું નામ રોશન કર્યું છે.ત્યારે અરગામા ગ્રામ પંચાયત ની સાથે સાથે સાગબારા નું નામ પણ રોશન કર્યું છે.


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top