Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

પાવીજેતપુર ભારજ પુલ પાસે તૂટેલા ડાયવર્ઝનના સ્થાને નવીન ઓલવેધર ડાયવર્ઝન બનાવવાની લોક ની માંગ

Share to

પાવીજેતપુર નજીક ભારજ પુલ પાસે બનાવેલ ડાયવર્ઝન તૂટી જતા રસ્તો બંધ થઈ જવા પામ્યો છે ત્યારે પુનઃ જે ડાયવર્ઝન બનાવવામાં આવે તે ઓલવેધર ડાયવર્ઝન બનાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

૨૯ જુલાઈ ૨૦૨૩ ના રોજ ભારે વરસાદના પગલે ભારજનો પુલ સેટલમેન્ટ થતાં રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી. ત્યારબાદ લાંબા સમય સુધી કોઈ જ પ્રકારની નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હતી. ત્યારે સીથોલ અને સિહોદ ના લોકોએ તેમજ પાવીજેતપુર ડેપ્યુટી સરપંચ મોન્ટુ શાહ તથા છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ રસ લઇ જનતા ડાયવર્ઝન શરૂ કર્યું હતું જે સમગ્ર છોટાઉદેપુર જિલ્લા સહિત મધ્યપ્રદેશની જનતા માટે આશીર્વાદરૂપ સાબિત થયું હતું. આ વર્ષે પણ છોટાઉદેપુરના ધારાસભ્ય, પાવીજેતપુર ડેપ્યુટી સરપંચ અને સીથોલ, સિહોદ ના લોકો રસ લઈ જનતા ડાયવર્ઝન બનાવે તેવી લોકો આશ લગાવી બેઠા છે.
છેલ્લે છેલ્લે તંત્રએ પાંચમા મહિનામાં નદીના પટમાં ડાયવર્ઝન ૨.૩૪ કરોડના ખર્ચે બનાવ્યું હતું જે ૨૪ ઓગસ્ટમાં રોજ સામાન્ય પાણી આવતા જ ધોવાઈ ગયું છે. જેને લઇ રસ્તો જ બંધ થઈ જવા પામ્યો છે. લોકોને તંત્રની નિષ્કાળજીના કારણે અડધો કિલોમીટર પુલના સ્થાને ૪૦ કીમી નો ફેરો ફરવાનો વારો આવ્યો છે.
૧૪ માસ પૂર્વે આ પુલ બેસી ગયો હોય પરંતુ તંત્રએ હજુ સુધી કોઈ જ નક્કર નિર્ણય લીધો નથી. સંબંધિત અધિકારીઓને પૂછતા એવો જવાબ આપે છે કે ઉપર મંજૂરી માટે મોકલ્યું છે મંજૂરી ની મોર વાગે એટલે ટેન્ડરિંગ કરી કામ ચાલુ થઈ જશે. ૧૪ મહિનાના વ્હાના વીતી ગયા છતાં હજુ સુધી પુલ મંજૂર કરવામાં આવ્યો નથી. તો બનતાં કેટલો સમય થશે ?
૧૪ માસથી પુલ મંજૂર કરવામાં આવ્યો નથી, મંજુર થશે ત્યારે પુલ બનવામાં ઓછામાં ઓછા ત્રણ થી ચાર વર્ષ નીકળશે તો શું દર ચોમાસામાં આ રસ્તો બંધ થઈ જશે ? લોકોને ૪૦ કીમી નો ફેરો ફરીને જ આગળ જવું પડશે ? આવા વેધક સવાલો જનતામાં ઉઠી રહ્યા છે. આ રસ્તો નેશનલ હાઇવે નંબર ૫૬ હોય સમગ્ર છોટાઉદેપુર જિલ્લા માટે રીડ ની હડ્ડી સમાન રસ્તો હોય છતાં આ રસ્તા ઉપર તૂટેલા પુલનું નવીનીકરણ કરવામાં તંત્ર દ્વારા ઉદાસીનતા જ દાખવવામાં આવી છે.
આમ, ૧૪ માસ વિતવા છતાં પુલ મંજૂર કરવામાં આવ્યો નથી તો બનતા કેટલો સમય થશે એ વિચારી લોકો કાંપી રહ્યા છે. સ્વાભાવિક રીતે જ દર ચોમાસામાં પાણી આવશે અને ડાયવર્ઝન ધોવાઈ જાય અને રસ્તો બંધ થઈ જાય અને જનતા ને વેઠવાનો વારો આવે તેના સ્થાને આ સાદા ડાયવર્ઝનના બદલે ઓલવેધર મજબૂત ડાયવર્ઝન બનાવવામાં આવે જેથી કરીને આવતા ચોમાસામાં પણ આ રસ્તો બંધ ન થાય તેવું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવે તેવી લોક લાગણી ઉઠવા પામી છે.

લોક લાગણીને ધ્યાને લઈ છોટાઉદેપુર જિલ્લાના ભાજપના જ નેતાઓનું પ્રતિનિધિ મંડળ રોડ ખાતાના મંત્રીને મળી આવ્યું હોય તેઓ સાથે ફોટા પડાવ્યા હોય છતાં હજુ સુધી નવો પુલ મંજૂર કરવામાં આવ્યો નથી. રાજ્ય તથા કેન્દ્રમાં એક જ સરકાર હોવા છતાં મંજૂર કરવામાં આવ્યો નથી જેને લઇ જનતામાં તંત્ર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે.

ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top