ગ્રામનિર્માણ કેળવણી મંડળ, થવા ખાતે યુ.પી.એલ. યુનિવર્સિટી , વટારીયા (અંક્લેશ્વર) દ્વારા એક એન.એસ.એસ. શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામ નિર્માણ કેળવણી મંડળ થવા દ્વારા તમામ શિબિરાર્થીઓને રહેવા માટેની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. એન.એસ.એસ.ના શિબિરાર્થીઓ દ્વારા સમગ્ર કેમ્પસમાં અને આસપાસના ગામોમાં જુદી જુદી સામાજીક ,શૈક્ષણિક,સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ હાથ ધરી સમાજ ઉપયોગી કાર્યો, પ્રવૃત્તિઓ રેલીઓ આયોજીત કરી હતી. તા. 17 /9 /2024 ના રોજ શિબિર ખૂલ્લો મુકવામાં આવ્યો હતો જે પ્રસંગે UPL યુનિવર્સિટીના provost ,હોદ્દેદારો અને ગ્રામ નિર્માણ કેળવણી મંડળના ટ્રસ્ટી શ્રી રાજેન્દ્રસિંહ માંગરોલા શ્રી માનસિંહ માંગરોલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તા. 17 થી 23 સુધી કાર્યરત આ શિબિરમાં અનેક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. તા. 23 ના રોજ એનએસએસ શિબિરની પૂર્ણાહુતિ પ્રસંગે વટારીયા યુપીએલ યુનિવર્સિટીના ડીન, રજીસ્ટ્રાર પણ ઉપસ્થિત રહ્યા હતા. યુપીએલ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ.શ્રીકાંત વાઘના માર્ગદર્શન અને એન.એસ. એસ શિબિરના ઓર્ગેનાઇઝર પારસભાઈ જૈન દ્વારા સમગ્ર કેમ્પનું આયોજન અને સંચાલન કરવામાં આવ્યું હતું..
Khabar Ek dum Sachi
More Stories
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સુરત નવી સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા ૪૦૧ મીટર લાંબી સાડી પ્રદર્શિત કરી અંગદાન જાગૃત્તિનો સંદેશ અપાયો——-
જૂનાગઢ શહેર વિસ્તારના દેશી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ પ્રોહીબીશનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમ મયુર ડાંગર ને પાસા ડાયદા હેઠળ સેન્ટ્રલ જેલ, વડોદરા ખાતે ધડેલતી જૂનાગઢ, કાઈમ બ્રાન્ચ
નેત્રંગ તાલુકાનું ગૌરવ : પઠાણ પરીવારનો દીકરો MBBS ડોક્ટરની ડિગ્રી મેળવી