બોડેલી થી રાજપીપળા તરફ જતો માર્ગ રાત દિવસ ધમધમતો માર્ગ સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ જાય છે. છોટાઉદેપુર, પંચમહાલ , મહીસાગર જિલ્લા સહિત મધ્યપ્રદેશ અને રાજસ્થાન તરફ ના વાહનો પણ આ માર્ગે થી પસાર થાય છે. ત્યારે બોડેલી ઓરસંગ બ્રિજ ના માર્ગ પ્રત્યે તંત્ર ધોર ઉપેક્ષા કરી રહ્યું છે.
જર્જરિત પુલ ના પાયા પણ ઊંડે સુધી ડોકાવા લાગ્યા છે. ભારજ પુલ તૂટ્યો તેનાથી અન્ય પુલો માટે તંત્ર બોધપાઠ લે તેવું હાલ દેખાતું નથી. નેતાઓ પણ નવા પુલ માટે રજૂઆત કરવા માટે ના ખાલી આશ્વાસન આપી પોતાની જવાબદારી માથી છટકી રહ્યા છે.
આદિવાસી વિસ્તાર માં ઇન્ફાસ્ટ્રક્ચર નો જે રીતે વિકાસ થવો જોઈએ તે જોવા મળતો નથી. રાજ્ય હોય કે કેન્દ્ર સરકાર આદિવાસી વિસ્તાર માટે ઓરમાયુ વર્તન કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે.
અધિકારી રાજ માં પ્રજા નો અવાજ દબાઈ રહ્યો છે.
આવા સંજોગો માં છોટાઉદેપુર જિલ્લા ના સૌથી વ્યસ્ત ઓરસંગ નદી પર ના રસ્તા ની મરામત માટે તાકીદે કામગીરી હાથ ધરાય તેવી માંગ ઉઠી છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર
More Stories
ઝઘડિયા તાલુકાના રાજપારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઈસમોને ઘરે વીજ કનેક્શનની ચકાસણી
જુનાગઢ ખમધ્રોલ ગામના લીસ્ટેડ બુલેટગેર હિરેન કારિયાના ગેર કાયદેસર કારખાનાના બાંધકામ ઉપર પોલીસે બુલડોઝર ફેરવ્યું
ઝઘડિયા તાલુકાના કરાડ ગામની સીમમાં શેરડીના ખેતરમાંથી સળગી ગયેલ હાલતમાં માનવ કંકાલ મળતા ચકચાર