Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

રાજપીપળા-વડોદરા સ્ટેટ હાઇવે પર જેસલપુર ગરનાળા ઉપરનો રોડ બેસી જતાં માર્ગ મકાન વિભાગ દ્વારા તાત્કાલિક મરામત કામ કરી વાહન વ્યવહાર પુનઃ ચાલુ કરી રસ્તા પરના પાણીનો નિકાલ કરાયોઃ નાંદોદના ધારાસભ્ય તથા પ્રભારી સચિવ એ સ્થળ મુલાકાત કરી

Share to

નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ સંદિપ સાંગલે ગઇકાલે અને આજે જિલ્લામાં રોકાઇને ભારે વરસાદના પગલે વરસાદી વિસ્તારનું નિરીક્ષણ કરી તંત્રને માર્ગદર્શન કરી રહ્યા છે

નર્મદા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા અપાયેલા ઓરેંજ એલર્ટના પગલે પ્રભારી સચિવ એ કરજણ ડેમની મુલાકાત લઇ પાણીની આવક-જાવક અંગે માહિતી મેળવી નીચાણવાળા વિસ્તારોને સાવધ રહેવા અપીલ કરાઇ
———-
રાજપીપલા, મંગળવારઃ- દક્ષિણ ગુજરાતમાં હવામાન ખાતાએ ભારે વરસાદની આપેલી આગાહીના પગલે જિલ્લામાં ઓરેંજ એલર્ટ આપતા ગઇકાલથી નર્મદા જિલ્લામાં અનરાધાર વરસાદ વરસ્યો હતો અને ઠેર-ઠેર રસ્તાઓ પર અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આજે વરસાદના વિરામ બાદ પાણી ઓસર્યા છે અને જાનમાલને ખાસ મોટું નુકશાન નથી પણ ખેડૂતોના ખેતરોમાં પાકને નુકશાન અને પાણી ભરાયેલા જોવા મળે છે અને નર્મદા નદી અને કરજણ નદીમાં ઘોડાપુર આવ્યા છે.

ભારે વરસાદના પગલે રાજ્ય સરકાર દ્વારા પ્રભારી મંત્રી અને પ્રભારી સચિવ ઓને જિલ્લામાં જઇને રૂબરૂ મુલાકાત કરીને વહીવટી તંત્રને માર્ગદર્શન આપી વરસાદની પરિસ્થિતિ ઉપર ચાપતી નજર રાખવા જિલ્લામાં રોકાવાની સૂચના આપી હતી. જેના પગલે નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ સંદિપ સાંગલે ગઇકાલે તા. ૨ જી સપ્ટેમ્બરથી જિલ્લામાં રોકાઇને વરસાદ અને પુરની સમીક્ષા બેઠક જિલ્લા કલેક્ટરશ્રી એસ.કે. મોદીની ઉપસ્થિતિમાં યોજી હતી. જ્યારે આજે તા. ૦૩/૦૯/૨૦૨૪ના રોજ પ્રભારી સચિવ એ રાજપીપલા – વડોદરા સ્ટેટ હાઇવે પર જેસલપુર નવા બનાવેલા ગરનાળા ઉપર રોડ બેસી જતા વાહન ચાલકોને મુશ્કેલી ન પડે તે માટે માર્ગ મકાન વિભાગને સૂચના આપતા આ રોડનું મરામત તાત્કાલિક ઘોરણે હાથ ધરીને વાહન વ્યવહારને પુનઃ ચાલુ કરવામાં આવ્યો હતો. આ મુલાકાત વેળાએ નાંદોદના ધારાસભ્યશ્ ડૉ. દર્શનાબેન દેશમુખ પણ ઉપસ્થિત રહી ગ્રામજનો અને માર્ગ મકાનના કાર્યપાલક ઇજનેરને ટકાઉ અને કાયમી ઉકેલ માટે અપીલ કરી હતી. પ્રભારી સચિવ અને ધારાસભ્ય એ રોડ અને નાળાનું નિરીક્ષણ કરી માર્ગ મકાન વિભાગના અધિકારીઓને તકેદારી અને સાવધાની માટે સૂચના આપી હતી. અને જિલ્લામાં ક્યાંય પણ રસ્તાઓ બંધ થાય કે તૂટી ગયેલાનું તાત્કાલિક ધોરણે સમારકામ અને ખાડા પડી ગયેલ તેનું પેચવર્ક કરવા પણ તાકિદ કરવામાં આવી હતી અને લોકોને ક્યાંય મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે પ્રકારે કામ કરવા જણાવ્યું હતું.

આ મુલાકાત વેળાએ પ્રાંત અધિકારી કિશનદાન ગઢવી, પ્રોટોકોલના નાયબ કલેક્ટરશ્રી એન.એફ. વસાવા, કાર્યપાલક ઇજનેરશ્રી સતીષ મોદી સહિત સંબંધિત અધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.

પ્રભારી સચિવ સંદિપ સાંગલેએ જિલ્લામાં આવેલા કરજણ જળાશયની પણ મુલાકાત લઇને જાત નિરીક્ષણ કર્યું હતું અને કરજણ ડેમના મદદનીશ ઇજનેર પાસેથી પાણીની આવક-જાવક અંગેની માહિતી મેળવી હતી અને નીચાણવાળા વિસ્તારને જ્યારે પાણી છોડવામાં આવે ત્યારે તાકિદ કરીને સાવધ કરવા પણ જણાવ્યું હતું અને કરજણ નદીમાં છોડવામાં આવતા પાણીના રૌદ્રસ્વરૂપનું નિરીક્ષણ કર્યું હતું.

નર્મદા જિલ્લામાં આવેલા વિવિધ ડેમોની સપાટીની મંગળવારે બપોરે ૨.૦૦ કલાકની સ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ ૧૩૪.૭૯ મીટરે છે. જેમાં છેલ્લા આઠ કલાકમાં ડેમની સપાટીમાં ૧૦ સેમીનો વધારો નોંધાયો હતો. નર્મદા બંધના ઉપરવાસમાંથી ૩.૮૦ લાખ ક્યુસેક પાણીની થઈ રહેલી આવક સામે મંગળવારે સવારે ૭-૦૦ કલાકથી ડેમના ૧૫ દરવાજા બે મીટર ખોલીને બે લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. સાથે નદી તળ વિદ્યુત મથક (RBPH)નાં ૬ મશીનો કાર્યરત થતાં તેમાંથી ૪૫ હજાર ક્યુકેસ પાણી એટલે કે ૪૫,૦૦૦+૨,૦૦,૦૦૦ = ૨,૪૫,૦૦૦ ક્યુસેક પાણી નર્મદા નદીમાં વહી રહ્યું છે.

બીજી તરફ કરજણ ડેમ ૧૧૦.૩૨ મીટરેની સપાટીએ છે. ડેમના રૂલ લેવલને જાળવવા માટે ગેટ નં ૫,૭,(૧.૦૦ મીટર) ખુલ્લા હતા. તેમાં વધારો કરીને તા.૦૩ મી સપ્ટેમ્બર-૨૦૨૪ના રોજ બપોરે ૧૨.૧૦ કલાકથી (૨.૦૦ મીટર) કરવામાં આવ્યા છે. તેમજ ગેટ નં. ૨,૪ (૨.૦૦ મીટર) ખોલવામાં આવે છે. આમ, કરજણ ડેમના ગેટ નં. ૨,૪,૫,૭ (૨.૦ મીટર) ખોલતા કરજણ ડેમના હેઠવાસમાં આશરે ૩૬૭૪૮ ક્યુસેક્સ પાણી વહી રહ્યું છે.

આ સાથે સાગબારા તાલુકામાં આવેલા નાના કાકડીઆંબા ડેમ ૧૮૭.૭૫ મીટર અને ચોપડવાવ ડેમ ૧૮૭.૫૦ મીટરની સપાટીએ સ્થિર રહેવા પામ્યા હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.

જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની સ્થિતિ ઉપર નજર કરીએ તો સાગબારા તાલુકામાં ૧૪૫૪ મિ.મિ., તિલકવાડા તાલુકામાં ૧૪૨૮ મિ.મિ., નાંદોદ તાલુકો ૧૩૮૮ મિ.મિ., દેડિયાપાડા તાલુકામાં ૧૩૭૮ મિ.મિ., અને ગરૂડેશ્વર તાલુકામાં ૧૦૨૨ મિ.મિ. વરસાદ નોંધાયો છે. આ સાથે નર્મદા જિલ્લામાં આજદિન સુધીમાં સરેરાશ ૧૩૩૪ મિ.મિ. અને સિઝનનો કુલ ૬૬૭૦ મિ.મિ.વરસાદ નોંધાયો છે.


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top