Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

વાલીયા અને હાંસોટ તાલુકાના અસરગ્રસ્ત ગામોના નીચાણ વિસ્તારોમા રહેતા નાગરિકોને સલામત સ્થળે ખસી જવા વહીવટીતંત્ર દ્નારા અનુરોધ

Share to

ભરૂચ જિલ્લામાં આજદિન સુઘી સરેરાશ કુલ ૧૦૫૯. ૪૪ મિ.મિ.વરસાદ નોંધાયો

*વિતેલા છેલ્લા ૨૪ કલાકમાં વાલીયા તાલુકામાં સૌથી વધુ ૨૯૭ મિ.મી. વરસાદ નોંધાયો : જ્યારે આજ રોજ સવારે છ થી ૧૦ વાગ્યા સુધીમાં વાલીયા તાલુકામાં ૧૫૨ મી.મી. અને નેત્રંગ તાલુકામાં ૧૨૬ મી.મી. નોંધાયો*

ભરૂચ – મંગળવાર – સમગ્ર રાજ્ય સહિત દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે ભરૂચ વહિવટી તંત્ર, પોલીસ વિભાગ સહિત, જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન વિભાગ એલર્ટ મોડમાં સતત કામગીરી કરી રહ્યું છે.
હવામાન વિભાગ દ્વારા ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લામાં વિત્યા છેલ્લા મંગળવારના રોજ સવારના ૬=૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સાથે જિલ્લાનો મોસમનો કુલ વરસાદ ૧૦૨૦.૧૧ મી.મી નોંધાવા પામેલ છે. તાલુકાવાર વરસાદની સ્થિતિ જોઈએ તો, જંબુસર તાલુકા ખાતે ૧૨ મી.મી. (૫૩૪), આમોદ ૧૪ મી.મી(૪૪૨), વાગરા ૮૯ મી.મી (૯૨૩)., ભરૂચ મી.મી ૧૮૫ (૧૧૩૭), ઝઘડીયા ૪૦ મી.મી. (૮૫૫), અંકલેશ્વર ૬૫ મી.મી.( ૧૧૦૨), હાંસોટ ૩૩ મી.મી , (૧૨૨૭) વાલીયા ૨૯૭ મી.મી (૧૫૦૧), નેત્રંગ ૯૪ મી.મી. (૧૪૬૦) વરસાદ નોંધાયો છે. જ્યારે કૌંસમાં આપેલા આંકડા મોસમનો કુલ વરસાદ દર્શાવે છે.
આજ રોજ સવારે છ થી ૧૦ વાગ્યા સુધીમાં તાલુકાવાર સ્થિતિ જોઈએ તો, જંબુસર તાલુકા ખાતે ૦૪ મી.મી. (૫૩૮), આમોદ ૨ મી.મી (૪૪૪), વાગરા ૧૫ મી.મી (૯૩૮)., ભરૂચ મી.મી ૧૫ (૧૧૫૨), ઝઘડીયા ૧૫ મી.મી. (૮૭૦), અંકલેશ્વર ૧૪ મી.મી.( ૧૧૧૬), હાંસોટ ૧૧ મી.મી , (૧૨૩૮) વાલીયા ૧૫૨ મી.મી (૧૬૫૩), નેત્રંગ ૧૨૬ મી.મી. (૧૫૮૬) વરસાદ નોંધાયો છે. સાથે જિલ્લાનો મોસમનો કુલ વરસાદ ૧૦૫૯.૪૪ મી.મી નોંધાવા પામ્યો છે. જ્યારે કૌંસમાં આપેલા આંકડા મોસમનો કુલ વરસાદ દર્શાવે છે.
જિલ્લાના તમામ અધિકારીઓ અને તલાટીઓએ મુખ્ય મથક ઉપર હાજર રહી તકેદારી અને સાવચેતીના માટે સલામત સ્થળે ખસેડવા તેમજ નદી કીનારે નહી જવા સમજૂત કરી રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં વરસાદના અંક ઉપર બાજ નજર રાખી સમગ્ર તંત્ર દ્વારા જરૂરી આગોતરા પગલાઓ લેવામાં આવી રહ્યા છે.
વધુમાં, કીમ નદીના અસરગ્રસ્ત ગામ પાંજરોલી ગામની મામલતદારશ્રી હાંસોટે મુલાકાત લીધી હતી. જ્યારે વાલીયા તાલુકાના ડહેલી ગામે પણ મામલતદારે મુલાકાત કરી ગામના સરપંચ અને નાગરિકોને ગ્રામજનોને સચેત રહેવા અપીલ કરી હતી.
ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકામાં પડેલા ભારે વરસાદને પગલે હાંસોટ તાલુકાના પાંજરોલી, ઓભા, આસરસા, ઈલાવ અને બાલોતા ગામમાં કીમ નદીની સપાટી વધી શકે છે. જેથી વાલીયા અને હાંસોટ તાલુકાના અસરગ્રસ્ત ગામોના નીચાણ વિસ્તારોમા રહેતા નાગરિકોને સલામત સ્થળે ખસી જવા વહીવટીતંત્ર દ્નારા અનુરોધ કરી સ્થળાંતર સમયે તંત્રને સહયોગ કરવા વિનંતી કરવામાં આવી હતી. જિલ્લામાં વરસાદને પગલે વહિવટી તંત્ર સાબદુ કરવામાં આવ્યું છે.


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top