Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

નર્મદા જિલ્લામાં પ્રધાનમંત્રી જનજાતિ ન્યાય મહા અભિયાન (PM -JANMAN 2.0) અંતર્ગત થઈ રહેલી કામગીરીની સમીક્ષા અર્થે દેડિયાપાડા પ્રાંત અધિકારીશ્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ 

Share to


આદિમ જૂથના તમામ પરિવારોને વિવિધ યોજનાનો લાભ આપી ૧૦૦ ટકા સેચ્યુરેશનની દિશામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા થઈ રહેલી કામગીરી

રાજપીપલા, સોમવાર : સમગ્ર રાજ્ય અને દેશમાં વસવાટ કરતા ૭૫ જેટલાં આદિમ જૂથોના સર્વાંગી વિકાસ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જાન્યુઆરી-૨૦૨૪થી પીએમ જન મન અભિયાન સમગ્ર દેશમાં આરંભાયું છે. જેના બીજા તબક્કામાં આ પ્રધાનમંત્રી જનજાતિ ન્યાય મહા અભિયાન (PM -JANMAN 2.0) ઝુંબેશ હેઠળ ગુજરાત સરકાર દ્વારા જિલ્લામાં મેગા ઇવેન્ટ યોજવાનું સુચિત કરતાં તેને કેન્દ્રમાં રાખીને સાગબારા અને દેડિયાપાડા તાલુકામાં હાલ કામગીરી ચાલી રહી છે. જેની સમીક્ષા અર્થે આજે દેડિયાપાડા પ્રાંત અધિકારીશ્રીની ધવલ સંગાડાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.

આદિમજૂથના કુટુંબો, ફળિયા અને ગામોમાં માળખાકિય સુવિધા પુરી પાડવાના હેતુ સાથે શરૂ થયેલા આ મિશન હેઠળ નર્મદા જિલ્લામાં સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો આદિમ જૂથના લોકોને ઘર આંગણે લાભ મળી રહે અને લાભોથી વંચિત રહી ન જાય તે માટે દેડિયાપાડા અને સાગબારા તાલુકાના ૫૨(બાવન) ગામોમાં આદિમજૂથના પરિવારો વસવાટ કરતા હોય વહીવટી તંત્રની વિવિધ ટીમો દ્વારા સર્વેની કામગીરી ચાલી રહી છે.

પ્રધાન મંત્રી જનજાતિ ન્યાય મહા અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લામાં વસવાટ કરતા આદિમ જૂથના તમામ પરિવારોને વિવિધ યોજનાનો લાભ આપી ૧૦૦ ટકા સેચ્યુરેશનની દિશામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમ થકી આદિમજુથને સમાજ સમકક્ષ બનાવવાના પ્રયત્નનાં ભાગરૂપે આરોગ્ય, શિક્ષણ, આવાસ, વીજળી, પાણી, રોડ-રસ્તા, રાશન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકાય તે માટે ગામમાં જઈને કેમ્પ પણ યોજવામાં આવી રહ્યા છે.

દેડિયાપાડા પ્રાંત કચેરી ખાતે યોજાયેલી આ રીવ્યુ બેઠક રાખવામાં દેડિયાપાડા અને સાગબારાના મામલતદાર સર્વશ્રી એસ.વી.વિરોલા, શ્રી શૈલેષ નિઝામાં સહિત સંકલનના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top