Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

ભરૂચ જિલ્લામાં દૈનિક ધોરણે રોડ-રસ્તાના રિપેરીંગની યુદ્ધના ધોરણે ચાલતી કામગીરીથી રાહત    

Share to

નાગરિકોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે ભરૂચમાં માર્ગ-મકાન વિભાગ રાજ્ય દ્વારા ખડેપગે રહીને સમારકામની અવિરત કામગીરી

ભારે વરસાદને લીધે ક્ષતિગ્રસ્ત થયેલા જિલ્લાના નાના-મોટા રસ્તાઓના રિપેરિંગ, મેટલવર્કની કામગીરી ચાર દીવસથી પૂરપાટ વેગે આગળ વધી રહી છે ભરૂચ- સોમવાર – વરસાદને પગલે ભરૂચ જિલ્લાના રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા હતા, રસ્તાઓનું રિપેરિંગ વરસાદના વિરામ બાદ છેલ્લા ચાર દીવસથી ચાલુ કરી દેવામાં આવ્યું છે. ક્ષતિગ્રસ્ત થયેલા રોડ- રસ્તાઓને તત્કાલ અસરથી પૂર્વવત કરવા માટે માર્ગ મકાન રાજ્ય વિભાગ દ્વારા ખડેપગે રહીને કામગીરી કરવામાં આવી રહી છે.

વરસાદના કારણે નુકસાનગ્રસ્ત રસ્તાઓને લીધે નાગરિકોને મુશ્કેલી ભોગવવી ન પડે, તે માટે વરસાદ બંધ થતાં ભરૂચ જિલ્લામાં ક્ષતિગ્રસ્ત નાના-મોટા રસ્તાઓના રિપેરિંગ, મેટલવર્ક કરવાની કામગીરી છેલ્લા ચાર દિવસથી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગ રાજ્ય હસ્તકના કુલ ૧૦૪ રસ્તાઓ પૈકી ૩૬ જેટલા રસ્તાને નુકસાન પહોંચ્યું હતું. જે રસ્તાઓ ઉપર પાણીનો ભરાવો થયો હોય, તેનો નિકાલ કરી રસ્તાઓને ખુલ્લા કરવા માટે અને ઝડપથી રસ્તાઓમાં મેટલ કામ કરવા, પેચ કામ કરવા, રસ્તા પર આવતા ઝાડી ઝાંખરા દૂર કરવા સહિતની કામગીરી કરી મોટરેબલ બનાવવાની કામગીરી હાલ પૂરપાટ વેગે ચાલી રહી છે.

ચોમાસાની ઋતુમાં ભરૂચ જિલ્લામાં પડેલા સાર્વત્રિક ભારે વરસાદને કારણે માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય ) હસ્તકના કુલ ૧૦૪ પૈકી ૩૬ જેટલા રસ્તાઓને તેમજ ડૂબાવ કોઝવે/નાળાના એપ્રોચ સ્લેબ/વેરીંગ કોટને નુકશાન થયું હતું. માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા ૧૦-૧૦ ટીમો બનાવીને નાયબ કાર્યપાલક ઈજનેરશ્રીઓ, મદદનીશ ઈજનેરશ્રીઓને ફરજ સોંપવામાં આવી છે. જેને મકાન વિભાગ, ભરૂચના તાબા હેઠળની પેટા વિભાગીય કચેરીઓના અધિકારી / કર્મચારીઓ દ્વારા સતત સ્થળ મુલાકાત કરી અંદાજિત ૭ થી વધુ જે.સી.બી., ૧૦ થી વધુ ડમ્પર /ટ્રેકટર, રોલર તથા અન્ય મશીનરીઓ અને ૨૨૪ જેટલા લેબરો દ્વારા દૈનિક ધોરણે મેટલ /ગ્રેડર / રોલર / લોડર/જી.સી.બી/વેટમિક્સ વિગેરે જેવા સાધનોથી મેટલ પેચ વર્કની કામગીરી કરીને રસ્તાને વાહન વ્યવહાર માટે ટ્રાફિકેબલ બનાવાયા અને હાલ પણ પેચ વર્કની કામગીરી નિયમિત ધોરણે ચાલુ છે.
વધુમાં,, ભરૂચ જિલ્લામાં ભરૂચ શુક્લતિર્થ ઝનોર રોડ, દેરોલ –વાગરા –ગંધાર, વાગરા સારન સાયખા, કરેણા- દોરા-સમની-વાગરા- રોડ, અંક્લેશ્વર વાલીયા, અંક્લેશ્વરથી રાજપીપલા, સાયખા – વેરસમ વિલાયત, ભરૂચથી દહેજ (જીએસઆરડીસી), રાજપારડી થી નેત્રંગ, ઈલાવ – સાહોલ કોસંબા વગેરે માર્ગોમાં મેટલકામ, પેચવર્ક અને ખાડા પૂરવાની કામગીરી સહિતના માર્ગોની મરામત કરી જનજીવન પૂર્વવત કરવામાં આવી રહ્યું છે. હાલ માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા ૪૨.૦૦ કિ.મીના નાના-મોટા રસ્તાઓને મોટરેબલ બનાવાયા છે. બાકીના ૪૪.૫૦ કિમી પેચ વર્કની રસ્તાઓ પર કામગીરી પૂરજોશમાં ક્રમશ પૂર્ણ કરવામાં આવશે. રાજ્ય માર્ગ મકાન રાજ્ય વિભાગ હસ્તકના માર્ગમાં આવતું કોઈપણ ગામ હાલ સંપર્ક વિહોણું નથી. તે સાથે વૈકલ્પિક રસ્તાઓ પણ નાગરિકો માટે ઉપલબ્ધ છે.
માર્ગ અને મકાન વિભાગ દ્વારા છેલ્લા ચાર દિવસથી યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યું છે. જિલ્લાના તમામ નાના-મોટા રસ્તાઓના રિપેરિંગ, મેટલવર્કની કામગીરી આગામી દિવસોમાં પૂર્ણ કરી દેવાશે,અને રિ-સરફેસિંગના કામો વરસાદ બંધ થતા ચાલુ કરવામાં આવશે. તેમ જિલ્લાના કાર્યપાલક ઈજનેર એ. વી.વસાવાએ જણાવ્યું હતું.


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top