* ચાર માસ પહેલા જ બનેલ નાળાનું ધોવાણ થતાં ભ્રષ્ટાચારની આશંકા
તા.૨૮-૦૮-૨૦૨૪ નેત્રંગ.
નેત્રંગ તાલુકાના વરખડી ગામે સ્મશાન જવાના રસ્તા ઉપરથી પસાર થતાં કોતર ઉપર ૪ માસ પહેલા નાળાનું નિમૉણ કરવામાં આવ્યું હતું.નેત્રંગ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ધોધમાર વરસાદના પગલે નદી-નાળા,તળાવ અને જળાશયોમાં ધોડાપુર આવતા ઠેર-ઠેર નાળાનું ધોવાણ થયું હતું.જેમાં વરખડી ગામે બનાવેલ નાળાનું પહેલા વરસાદમાં જ ધોવાણ થતાં હલકીકક્ષાના માલ-સામાનનો ઉપયોગ અને ભ્રષ્ટાચાર આચાર્યના આક્ષેપ સાથે વરખડી ગ્રામજનોએ નેત્રંગ મામલતદાર અને તાલુકા વિકાસ અધીકારને આવેદનપત્ર આપા નવા નાળાની નિમૉણની માંગ કરી હતી.વરખડી ગામે નાળાનું ધોવાણ થતાં ગ્રામજનોએ મૃતદેહ અંતિમક્રિયા માટે સ્મશાને લઇ જવું,ગૌચરની જમીનમાં ઢોર-ઢાકરને ચરાવવા અને ખેતમજુરને ખેતરમાં કામ અથઁ જવા ભારે હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે.
*વિજય વસાવા નેત્રંગ*
More Stories
નેત્રંગ પોલીસે તાલુકામા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને તહેવારોમાં શાંતિ બની રહે તે માટે ફુટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગની ઝુંબેશ હાથ ધરી.
નેત્રંગ પોલીસે તાલુકામા કાયદો અને વેવસ્થા જળવાઈ રહે અને તહેવારોમાં શાંતિ બની રહે તે માટે ફુટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગની ઝુંબેશ હાથ ધરી.
પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગરના ૧૦૦ કલાક પ્રોગ્રામ અંતર્ગત કોમ્બીંગ કરી શરીર સબંધી, મિલ્કત સબંધી ગુનેગારોની ગે કા પવતી અંગે આજ રોજ રાખેલ ડ્રાઇવ દરમ્યાન કાયદેસર કાર્યવાહી કરતી જૂનાગઢ પોલીસ,