રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા DNS NEWS
ઘાસ કાપવા ગયેલ અવિધાનો વૃધ્ધ ઇસમ ભુંડવા ખાડીના પુરના પાણીમાં ગુમ થયો હતો
સ્થાનિક પોલીસની ભારે જહેમત બાદ ફાયર ફાઇટરોની મદદથી મૃતદેહ એક કિલોમીટર દુરના સ્થળેથી મળ્યો
ભરૂચ જિલ્લા ના ઝઘડિયા તાલુકાના અવિધા ગામના ૬૦ વર્ષીય વૃધ્ધ નરસિંહભાઇ સોલંકી ગતરોજ ઘાસ કાપવા ગયા હતા ત્યારે ભુંડવા ખાડીમાં વહેતા પાણીના પ્રવાહમાં પગ લપસતા તેઓ તણાઇ જવાની ઘટના બની હતી. ત્યારબાદ સ્થાનિક પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી ખાડીમાં ગુમ થનાર વૃધ્ધને શોધવા પ્રયત્નો હાથ ધર્યા હતા,પરંતું ભુંડવા ખાડીના પુરના પ્રવાહમાં લાપતા થયેલ નરસિંહભાઇની કોઇ ભાળ મળી ન હતી,દરમિયાન આજરોજ રાજપારડી પોલીસે ફાયર ફાઇટરોની મદદથી ખાડીમાં ગુમ થયેલ વૃધ્ધની શોધખોળ આરંભતા ભારે જહેમત બાદ ઘટનાના ૨૪ કલાક બાદ ઘટના સ્થળથી લગભગ એક કિલોમીટર દુર ખાડીમાંથી વૃધ્ધ નરસિંહભાઇનો મૃતદેહ મળી આવ્યો હતો..
More Stories
જૂનાગઢ ના ભેંસાણ વિસ્તાર ના કુપોષિત બાળક ને મલ્યુ નવું જીવતદાન
જૂનાગઢ માં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ સાથે આયુર્વેદિક સંશોઘનો વિકસાવવા એમ.ઓ.યુ. કરાયા
માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે પહેલગામ પહોંચી આતંકી હુમલાની વિગતો મેળવી.