Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
જયગુરૂદેવ આશ્રમ મથુરાના રાષ્ટ્રીય ઉપદેશક શ્રી સતિષચંદ્ર સાહેબ  આજે  પઠાર ખાતે આધ્યાત્મિક સંત્સગ કરશે.
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….

નર્મદા જિલ્લામાં અનરાધાર મેઘ મહેર… નર્મદા જિલ્લામાં બુધવારે સવારે ૧૦ કલાક સુધીમાં સૌથી વધુ તિલકવાડા તાલુકામાં ૯૩ મિ.મિ. વરસાદ નોંધાયો

Share to

કરજણ ડેમના કુલ ૪ ગેટ ખોલીને કરજણ નદીમાં અંદાજિત ૪૮૬૩૩ ક્યુસેક પાણી તબક્કાવાર છોડવામાં આવી રહ્યું છે

નીચાણવાળા વિસ્તારના ગામોને સાવધ રહેવા અપાયેલી સૂચના

રાજપીપલા, બુધવાર :- નર્મદા જિલ્લામાં ૨૪ જુલાઈ-૨૦૨૪ને બુધવારના રોજ સવારે ૬=૦૦ કલાકથી ૧૦ કલાક દરમિયાન ૪ કલાકમાં સૌથી વધુ તિલકવાડા તાલુકામાં ૯૩ મિ.મિ. વરસાદ નોંધાયો છે. આ સિવાય નાંદોદ તાલુકામાં ૮૭ મિ.મિ., દેડિયાપાડા તાલુકામાં ૪૮ મિ.મિ., ગરૂડેશ્વર તાલુકામાં ૪૨ મિ.મિ. અને સાગબારા તાલુકામાં ૪૦ મિ.મિ. વરસાદ નોંધાયો છે. બીજી તરફ મંગળવારે સવારે ૬ કલાકે પૂર્ણ થયેલા ૨૪ કલાકમાં સૌથી વધુ સાગબારા તાલુકામાં ૧૨૯ મિ.મિ. વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં આજદિન સુધી સરેરાશ કુલ વરસાદ ૫૦૮.૪૦ મિ.મિ. વરસાદ નોંધાયો છે. આમ નર્મદા જિલ્લામાં અનરાધાર મેઘ મહેર થઈ રહી છે. નદી નાળામાં વરસાદી નીર આવ્યા છે.

નર્મદા જિલ્લામાં આવેલા કરજણ ડેમના કાર્યપાલક ઇજનેરશ્રી-સિંચાઈ યોજના વિભાગ નં.૪ તરફથી પ્રાપ્ત અહેવાલો મુજબ નાંદોદ તાલુકામાં આવેલા કરજણ ડેમની પુર્ણ સપાટી ૧૧૫.૨૫ મીટર છે. સરકારશ્રી દ્વારા ચોમાસામાં નિયત કરાયેલા રૂલ લેવલને જાળવવાના હેતુસર આજે ૨૪મી જુલાઈ, ૨૦૨૪ને બુધવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકની પરિસ્થિતિએ આ ડેમની સપાટી ૧૦૮.૦૫ મીટર પહોંચી હતી. ડેમની સપાટીના રૂલ લેવલને જાળવવા માટે બુધવારના રોજ સવારે ૯:૦૦ કલાકે આ ડેમના બે અને ત્યારબાદ ૧૧:૦૦ કલાકે વધુ બે ગેટ એમ કુલ ૪ ગેટ ખોલીને કરજણ નદીમાં અંદાજિત ૪૮૬૩૩ ક્યુસેક પાણી તબક્કાવાર છોડવામાં આવી રહ્યું છે. ચોમાસા દરમિયાન ડેમનું લેવલ જાળવાઈ રહે તે માટેની નિયમિત કરવામાં આવતી આ પ્રક્રિયા છે. આમ છતાં નીચાણવાળા વિસ્તારના ગામોને સાવધ રહેવા તંત્ર દ્વારા જાણ કરવામાં આવી છે.

અત્રે નોંધનીય છે કે, ઉપરવાસમાં વરસેલા વરસાદથી ડેમમાં હાલ અંદાજે ૯૯ હજાર ક્યુસેક પાણીની આવક થતાં ડેમ હાલમાં ૬૫.૨૦ ટકા જળરાશીથી ભરેલો છે. કરજણ ડેમમાંથી છોડવામાં આવી રહેલા પાણીનાં કારણે નાંદોદ તાલુકાના નદી કિનારાના નાગરિકોને સચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

નર્મદા જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ- ૧૨૧.૩૪ મીટર, કરજણ ડેમ- ૧૦૮.૦૫ મીટર, નાના કાકડીઆંબા ડેમ- ૧૮૨.૫૦ મીટર અને ચોપડવાવ ડેમ- ૧૮૧.૫૦ મીટરની સપાટી તેમજ નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેનું ગેજ લેવલ ૧૫.૩૦ મીટર હોવાના અહેવાલ પણ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.

જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો સાગબારા તાલુકો ૬૧૧ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરે રહ્યો છે. જ્યારે નાંદોદ તાલુકો ૫૬૩ મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, દેડિયાપાડા તાલુકો ૫૩૩ મિ.મિ. સાથે તૃતિય સ્થાને, તિલકવાડા તાલુકો ૪૯૮ મિ.મિ. સાથે ચોથા અને ગરુડેશ્વર તાલુકો ૩૩૭ મિ.મિ.સાથે પાંચમા સ્થાને રહેવા પામ્યો છે. આ સાથે નર્મદા જિલ્લામાં આજદિન સુધી સરેરાશ વરસાદ ૫૦૮.૪૦ મિ.મિ. વરસાદ નોંધાયો હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.

આમ, સમગ્ર નર્મદા જિલ્લામાં લીલી વનરાજી અને ડુંગરો પ્રાકૃતિક સૌંદર્ય સાથે સોળે કળાએ ખીલી ઉઠી છે. અને ખેડૂતોએ ખેતીના પાકોનું વાવેતર પૂર્ણ કર્યુ છે. વરસતા વરસાદનો ફાયદો ખેતીના પાકને મળી રહ્યો છે. અને ખેડૂતો ખુશાલી વ્યક્ત કરી રહ્યા છે.


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top