Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*
જુનાગઢ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય
ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…
“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….
ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

નર્મદા જિલ્લાના ૫૭૩૯૪ કાચા ઘરો પૈકી ૯૮૬૨ ઘરોમાં 5% મેલેથીયોન પાવડરનો છંટકાવ : ૨૯૫ ઘરોમાં જંતુનાશક દવાનો છંટકાવ કરાયો

Share to

વાયરલ એન્સેફાલીટીસ (ચાંદીપુરા)ને લઈને નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગની ૩૧૮ ટીમો દ્વારા ૦ થી ૧૪ વર્ષના બાળકોમાં સર્વે કામગીરી

રાજપીપલા, મંગળવાર :- વાયરલ એન્સેફાલીટીસ (ચાંદીપુરા) Viral Encephalitis રોગચાળાની અટકાયતી કામગીરી અંતર્ગત નર્મદા જિલ્લાના કુલ ૫૭૩૯૪ કાચા ઘરો પૈકી ૯૮૬૨ ઘરોમાં 5% મેલેથીયોન પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો છે. કુલ ૨૯૫ ઘરોમાં જંતુનાશક દવાનો છંટકાવ કરાયો છે. ટીમો દ્વારા છઈ રહેલી સર્વેની કામગીરી તેમજ શાળા તપાસણી કાર્યક્રમ થકી કુલ ૩૯૭૧૦૯ વ્યક્તિઓને આરોગ્યલક્ષી શિક્ષણ આપવામાં આવ્યું છે.

નર્મદા જિલ્લામાં કુલ ૩૧૮ ટીમો દ્વારા ૦ થી ૧૪ વર્ષ સુધીના બાળકોમાં સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત તમામ આંગણાવાડી, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, ખાનગી શાળાઓ મળીને કુલ ૯૪૭૮૭ બાળકોની તપાસ કરવામાં આવી છે. જે પૈકી ૨૫ બાળકોને નજીકના સેન્ટર ખાતે રીફર કરીને સારવાર આપવામાં આવી હતી. જોકે, તેમાં એકપણ શંકાસ્પદ કેસ મળી આવ્યો નથી.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની કચેરી દ્વારા મળેલી અખબારી યાદી મુજબ નર્મદા જિલ્લામાં વાયરલ એન્સેફાલીટીસ (ચાંદીપુરા)ના અત્યારસુધીમાં ૦૨ શંકાસ્પદ કેસો નોંધાયેલા છે. આ બંને કેસો દેડીયાપાડા તાલુકાના છે. જે પૈકી ૦૧ કેસનું રિઝલ્ટ નેગેટીવ આવ્યું છે, જ્યારે બીજા એક કેસનું રીઝલ્ટ હજી આવવાનું બાકી છે.

વાયરલ એન્સેફાલીટીસ (ચાંદીપુરા) Viral Encephalitis રોગ અંગે જનજાગૃતિ અર્થે તથા આ રોગની વિસ્તૃત માહિતી દ્વારા તેના લક્ષણો અને રોગોથી બચવા કેવી તકેદારીઓ રાખવી તેની આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.

રોગચાળા અંગે માહિતી:

• આ વાયરલ ઈન્ફેક્શન નો પ્રથમ કિસ્સો 1965 માં મહારાષ્ટ્ર ના નાગપુર જિલ્લાના ચંદીપુરા ગામે નોંધાયો
હ્તો જેથી તે ચંદીપુરા વાયરસ તરીકે ઓળખાય છે.
• ગુજરાતમાં મુખ્યત્વે મધ્ય ગુજરાતના જિલ્લાઓ વડોદરા,છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહિસાગર
જિલ્લાઓમા ચંદીપુરા વાયરસના કેસો નોંધાયા છે.
• ચંદીપુરા વાયરસના ફેલાવા માટે સેન્ડ ફ્લાય(એક પ્રકારની રેતીની માખી) રોગ માટે જવાબદાર છે.
• કાચા મકાનોની દિવાલની તિરાડોમાં અથવા મકાનની રેતી અથવા માટીથી બનેલા ભાગોમાં રહેવાનુ પસંદ
કરે છે.
• મુખ્યત્વે ગ્રામ્ય વિસ્તારોમાં અસર જોવા મળે છે.
• કેસો ખાસ કરીને જથ્થામાં જોવા ન મળતા છુટા છવાયા જોવા મળે છે.
• 9 માસથી લઈ ને 14 વર્ષના બાળકોને જોખમ રહે છે. સારવાર થયેલ બાળકોમાં Neurological Sequelae
ભાગ્યે જ જોવા મળે છે.

રોગચાળાના લક્ષણો :
• સખત તાવ, માથાનો દુઃખાવો
• થાક લાગવો,
• ખેંચ
• અર્ધભાન અવસ્થા
• સામાન્ય અસ્વસ્થતા
• પેટમાં દુઃખાવો
• ઝાડા ઉલટી
• વ્યક્તિત્વમાં ફેરફાર.(યાદશકિતી ઓછી થવી, ચહેરાના ભાગમાં ૫ક્ષધાત (પેરાલાયલીસ)
• લક્ષણોની શરૂઆત થયા બાદ 48 થી 72 કલાકમા મૃત્યુની સંભાવના રહે છે. આવા લક્ષણો જણાય તો તાત્કાલીક સરકારી હોસ્પિટલનો સં૫ર્ક કરવો.

રોગની સારવાર :
• આરામ કરવો.
• પોષ્ટીક આહાર અને વઘુ માત્રામા પાણી પીવું.

રોગચાળો અટકાવા માટેના સામાન્ય ઉપાયો
• સેન્ડ ફ્લાયની ડેન્સીટી વરસાદી ઋતુમા અધિક રહે છે. જુન માસથી સઘન એક્ટીવ ફ્લાય સર્વેલંસ તથા
રેસી.સ્પ્રેઈંગ કામગીરી ફિલ્ડના કર્મચારીઓ દ્વારા કરવામાં આવે છે.
• મેલેથીયોન 5% પાવડર દ્વારા ડસ્ટીંગ કામગીરી કરવામાં આવે છે.
• તમામ ક્લીનીશ્યન/બાળ રોગ નિષ્ણાંતોનું સેન્સીટાઈઝેશન મીટીંગ
• હેલ્થ સુપરવાઈઝર્સ, કાર્યકરો અને આશા માટે બેઝીક તાલીમ
• ફીલ્ડ કક્ષાએ આઈ.ઈ.સી. કરવામાં આવે છે.
વિના મુલ્યે નિદાન, તમામ સારવાર અને દવા સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્વો અને સરકારી હોસ્પિટલ ખાતે કરવામાં આવે છે.


Share to

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top