રાજકોટના જેતપુરમાં પોરબંદર લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવીયા એ હવેલી તેમજ સ્વામિનારાયણ મંદિરના સંતોના દર્શન કરી અને પ્રચાર પ્રસાર શરૂ કર્યો

Share to




રાજકોટના જેતપુરમાં પોરબંદર લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી મનસુખ માંડવીયા સાહેબ તેમજ યુવા ધારાસભ્ય જયેશ રાદડીયાની અધ્યક્ષતામાં જેતપુર વિધાનસભા ભારતીય જનતા પાર્ટીના  બહોળી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓની બેઠક મનસુખ માંડવીયાએ લીધી હતી અને ત્યારબાદ જેતપુર મદનમોહન પ્રભુ હવેલીએ દર્શન કરી જેતપુર ગાદી સ્થાન સ્વામિનારાયણ ભગવાન મંદિરે સંતો મહંતોના આશીર્વાદ લઈને જેતપુર જેતપુરના આઠ જેટલા મોટા રસ્તાઓ અને ચોકમાં ગલીઓમાં બાઈક પર સવારી કરી બાઈક રેલી કાઢવામાં આવી હતી અને મનસુખ માંડવીયા તેમજ ધારાસભ્ય જયેશ રાદડિયાએ સાદગી ના દર્શન કરાવ્યા હતા મિટિંગમાં કાર્યકર્તાઓએ નારા લગાવ્યા હતા હવે તો એક જ નારો અબકી બાર 400 કે પાર

રિપોર્ટર મહેશ કથિરીયા
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed